-
લોકસભાની વર્તમાન ચૂંટણીમાં 300 બેઠકો જીતીને ફરી વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે આજે ઢંઢેરો જાહેર કર્યો તેમાં 75 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં છે. 75 મુદ્દાઓમાં રામ મંદિર છે, ગંગા મૈયા છે, કલમ 370 અને 35-એ પણ છે, આતંકવાદને નાબૂદનો મુદ્દો છે, તમામ ખેડૂતોને વર્ષે 6 હજાર છે, વેપારીઓ અને ખેડૂતો માટે પેન્શન યોજના છે, જ્યાં ભારત વસે છે તે 5 લાખ કરતાં વધુ ગામડાઓના વિકાસ માટે પાંચ વર્ષમાં 25 લાખ કરોડનો ખર્ચ કરવાનો વાયદો છે, 75 નવી મેડિકલ કોલેજ શરૂ કરવાનું વચન છે, 2024 સુધીમાં ભારતમાં 100 લાખ કરોડના મૂડીરોકાણની વાત છે તો 8 ટકા વૃધ્ધિ દર રહેવાના વચન સાથે 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થવા જઇ રહ્યાં છે ત્યારે આઝાદીની એ ભવ્ય ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ દેશ ઉજવશે એવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરીને ભાજપને ફરી સત્તા મળશે અને મોદી ફરીથી 300 બેઠકો સાથે દિલ્હીની ગાદી પર બિરાજશે. આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઇ રહ્યાં છે ત્યારે ભાજપે પોતાના ઢંઢેરોનો અભિગમ પણ 75 મુદ્દાનો રાખ્યો છે અને પાંચ વર્ષ પૂરા થાય ત્યારે 2024માં નહીં પણ 2022માં મતદારો અમારી સરકાર પાસેથી આ વચનોની પૂર્તતા કેટલી થઇ તેની વચગાળાની ઉઘરાણી કરી શકશે એમ પણ વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ખાતરી આપીને રાષ્ટ્રવાદનો મુદ્દો ઉછાળ્યો છે પણ આ વખતે 75 મુદ્દાઓમાં રોજગારીના મુદ્દાને સ્થાન મળ્યું નથી એટલે એમ કહી શકાય કે ભાજપ માટે રોજગારીનો મુદ્દો હજુ બેરોજગાર(અસ્થાને) જ રહ્યો છે...!
-
લોકસભાની વર્તમાન ચૂંટણીમાં 300 બેઠકો જીતીને ફરી વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે આજે ઢંઢેરો જાહેર કર્યો તેમાં 75 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં છે. 75 મુદ્દાઓમાં રામ મંદિર છે, ગંગા મૈયા છે, કલમ 370 અને 35-એ પણ છે, આતંકવાદને નાબૂદનો મુદ્દો છે, તમામ ખેડૂતોને વર્ષે 6 હજાર છે, વેપારીઓ અને ખેડૂતો માટે પેન્શન યોજના છે, જ્યાં ભારત વસે છે તે 5 લાખ કરતાં વધુ ગામડાઓના વિકાસ માટે પાંચ વર્ષમાં 25 લાખ કરોડનો ખર્ચ કરવાનો વાયદો છે, 75 નવી મેડિકલ કોલેજ શરૂ કરવાનું વચન છે, 2024 સુધીમાં ભારતમાં 100 લાખ કરોડના મૂડીરોકાણની વાત છે તો 8 ટકા વૃધ્ધિ દર રહેવાના વચન સાથે 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થવા જઇ રહ્યાં છે ત્યારે આઝાદીની એ ભવ્ય ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ દેશ ઉજવશે એવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરીને ભાજપને ફરી સત્તા મળશે અને મોદી ફરીથી 300 બેઠકો સાથે દિલ્હીની ગાદી પર બિરાજશે. આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઇ રહ્યાં છે ત્યારે ભાજપે પોતાના ઢંઢેરોનો અભિગમ પણ 75 મુદ્દાનો રાખ્યો છે અને પાંચ વર્ષ પૂરા થાય ત્યારે 2024માં નહીં પણ 2022માં મતદારો અમારી સરકાર પાસેથી આ વચનોની પૂર્તતા કેટલી થઇ તેની વચગાળાની ઉઘરાણી કરી શકશે એમ પણ વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ખાતરી આપીને રાષ્ટ્રવાદનો મુદ્દો ઉછાળ્યો છે પણ આ વખતે 75 મુદ્દાઓમાં રોજગારીના મુદ્દાને સ્થાન મળ્યું નથી એટલે એમ કહી શકાય કે ભાજપ માટે રોજગારીનો મુદ્દો હજુ બેરોજગાર(અસ્થાને) જ રહ્યો છે...!