ઉત્તર પ્રદેશના બુલંદશહરના મહાવ ગામ ખાતે ગૌહત્યાના અહેવાલોના પગલે હિંસક ટોળાં દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હત્યા અને પોલીસ ગોળીબારમાં સુમિત નામના નાગરિકનાં મોત તથા ગૌહત્યા માટે પોલીસે બે એફઆઇઆર નોંધી આરએસએસ સાથે સંકળાયેલા સંગઠનોના ચમન, દેવેન્દ્ર, આશિષ ચૌહાણ અને સતીષનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય પાંચની પૂછપરછ માટે અટકાયત કરાઇ છે. આ કેસમાં મુખ્ય આરોપી એવા બજરંગ દળના બુલંદશહર જિલ્લા સંયોજક યોગેશ રાજ સહિત ૮૭ સામે એફઆઇઆર નોંધાઇ છે. પોલીસે ફરાર યોગેશ રાજને ઝડપી લેવા ૬ ટીમ બનાવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ગૌહત્યા અને ઇન્સ્પેક્ટરની હત્યા એમ બે બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. પોલીસે યોગેશ રાજની ફરિયાદના આધારે ગૌહત્યાના આરોપસર સાત મુસ્લિમો સામે પણ એફઆઇઆર નોંધી છે.
ઉત્તર પ્રદેશના બુલંદશહરના મહાવ ગામ ખાતે ગૌહત્યાના અહેવાલોના પગલે હિંસક ટોળાં દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હત્યા અને પોલીસ ગોળીબારમાં સુમિત નામના નાગરિકનાં મોત તથા ગૌહત્યા માટે પોલીસે બે એફઆઇઆર નોંધી આરએસએસ સાથે સંકળાયેલા સંગઠનોના ચમન, દેવેન્દ્ર, આશિષ ચૌહાણ અને સતીષનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય પાંચની પૂછપરછ માટે અટકાયત કરાઇ છે. આ કેસમાં મુખ્ય આરોપી એવા બજરંગ દળના બુલંદશહર જિલ્લા સંયોજક યોગેશ રાજ સહિત ૮૭ સામે એફઆઇઆર નોંધાઇ છે. પોલીસે ફરાર યોગેશ રાજને ઝડપી લેવા ૬ ટીમ બનાવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ગૌહત્યા અને ઇન્સ્પેક્ટરની હત્યા એમ બે બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. પોલીસે યોગેશ રાજની ફરિયાદના આધારે ગૌહત્યાના આરોપસર સાત મુસ્લિમો સામે પણ એફઆઇઆર નોંધી છે.