ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે CAA, NRC તથા દલિતની સાથે મારપીટની ઘટના વિરુદ્ધમાં ભારત બંધનું એલાન જાહેર કર્યુ છે. બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. યુપી અને બિહારમાં હાઈ એલર્ટ છે.
બિહારના બેગૂસરાયમાં ભારત બંધને લઈને આજે સવારે ભીમ આર્મી અને જન અધિકાર પાર્ટીના કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા છે. તેમણે અહીં NH-31ને જામ કર્યો છે. આ ઉપરાંત બેગૂસરાય રેલવે સ્ટેશન પર રાજ્યની સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ગુવાહાટી-જમ્મુ-તાવી એક્સપ્રેસ ટ્રેન અટકાવીને સરકાર વિરોધી સુત્રોચાર કર્યા છે.
આરામાં પણ સેંકડો બંધ સમર્થકોએ રેલવે સ્ટેશન પહોંચીને પટના-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેનને અટકાવી હતી. આ ઉપરાંત રોડ પર ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના કારણે રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. બંધ સમર્થકોએ શહેરની દુકાનોને બંધ કરાવી અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કરતા CAA-NRCને કાળો કાયદો ગણાવ્યો હતો.
બીજી તરફ ચંદ્રશેખર આઝાદે લોકોને ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘હું તમામ રાજકીય પાર્ટીઓને અપીલ કરુ છું કે 23 ફેબ્રુઆરીએ બંધને સહકાર આપે . જય ભીમ તથા તેમણે તમામ લોકોને અયોગ્ય હિંસાત્મ ઘર્ષણથી બચવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંધને પગલે મેરઠમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે CAA, NRC તથા દલિતની સાથે મારપીટની ઘટના વિરુદ્ધમાં ભારત બંધનું એલાન જાહેર કર્યુ છે. બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. યુપી અને બિહારમાં હાઈ એલર્ટ છે.
બિહારના બેગૂસરાયમાં ભારત બંધને લઈને આજે સવારે ભીમ આર્મી અને જન અધિકાર પાર્ટીના કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા છે. તેમણે અહીં NH-31ને જામ કર્યો છે. આ ઉપરાંત બેગૂસરાય રેલવે સ્ટેશન પર રાજ્યની સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ગુવાહાટી-જમ્મુ-તાવી એક્સપ્રેસ ટ્રેન અટકાવીને સરકાર વિરોધી સુત્રોચાર કર્યા છે.
આરામાં પણ સેંકડો બંધ સમર્થકોએ રેલવે સ્ટેશન પહોંચીને પટના-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેનને અટકાવી હતી. આ ઉપરાંત રોડ પર ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના કારણે રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. બંધ સમર્થકોએ શહેરની દુકાનોને બંધ કરાવી અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કરતા CAA-NRCને કાળો કાયદો ગણાવ્યો હતો.
બીજી તરફ ચંદ્રશેખર આઝાદે લોકોને ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘હું તમામ રાજકીય પાર્ટીઓને અપીલ કરુ છું કે 23 ફેબ્રુઆરીએ બંધને સહકાર આપે . જય ભીમ તથા તેમણે તમામ લોકોને અયોગ્ય હિંસાત્મ ઘર્ષણથી બચવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંધને પગલે મેરઠમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.