Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે હોટેલમાં રોકાયેલ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ સહિત 16 જેટલા લોકોએ લોખંડના પાઇપો સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો. આ મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલા ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈ માથાકૂટ થઈ હતી. જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતનાઓએ નુકશાન કર્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષે દેવાયત ખવડે 8 લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.
 

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ