ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધી બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ભુજ ખાતે સભામાં રાહુલ ગાંધીએ ખેડૂતોના હિત માટેની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર ફરીથી સત્તામાં આવશે તો ખેડૂતો માટે જમીન અધિકારણ બિલનો કાયદો અમલમાં મુકવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોની જમીન છીનવાઈ ન જાય તે માટે જમીન અધિકરણ બિલ લોકસભા બનાવવામાં આવ્યું હતું, તેના લીધે ખેડૂતોની જમીન કોઈ છીનવી શકશે નહીં પરંતુ 2014માં ભાજપની સરકાર આવતા આ કાયદો નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ કોંગ્રેસ સરકારે લોકસભા થવા દિધો નહીં એટલે જ્યાં ભાજપ સરકાર જે રાજ્યમાં હતી ત્યાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ આ કાયદો નાબૂદ કરાવ્યો છે તેના લીધે ખેડૂતોની જમીન છીનવાઈ ગઈ છે અને જમીનના મામલે મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. તેઓ વધુમાં ઉમેર્યું હતું કે ખેડૂતો વિના દેશ ચાલી શકે તેમ નથી.
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે જો કોંગ્રેસ સરકાર બનશે તો જમીન અધિકરણ કાયદો આખા દેશમાં ફરીથી લાગુ કરવામાં આવશે તેનાલીધે ખેડૂતોની જમીન બચી શકશે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધી બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ભુજ ખાતે સભામાં રાહુલ ગાંધીએ ખેડૂતોના હિત માટેની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર ફરીથી સત્તામાં આવશે તો ખેડૂતો માટે જમીન અધિકારણ બિલનો કાયદો અમલમાં મુકવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોની જમીન છીનવાઈ ન જાય તે માટે જમીન અધિકરણ બિલ લોકસભા બનાવવામાં આવ્યું હતું, તેના લીધે ખેડૂતોની જમીન કોઈ છીનવી શકશે નહીં પરંતુ 2014માં ભાજપની સરકાર આવતા આ કાયદો નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ કોંગ્રેસ સરકારે લોકસભા થવા દિધો નહીં એટલે જ્યાં ભાજપ સરકાર જે રાજ્યમાં હતી ત્યાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ આ કાયદો નાબૂદ કરાવ્યો છે તેના લીધે ખેડૂતોની જમીન છીનવાઈ ગઈ છે અને જમીનના મામલે મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. તેઓ વધુમાં ઉમેર્યું હતું કે ખેડૂતો વિના દેશ ચાલી શકે તેમ નથી.
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે જો કોંગ્રેસ સરકાર બનશે તો જમીન અધિકરણ કાયદો આખા દેશમાં ફરીથી લાગુ કરવામાં આવશે તેનાલીધે ખેડૂતોની જમીન બચી શકશે.