-
નૌકા દ્વારા વારાણસી પ્રવાસ કર્યા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વચ્ચે વિરામ રાખીને આજે રામની નગરી અયોધ્યા પહોંચી હતી. તેમની અયોધ્યા મુલાકાતને લઇને ભાજપ અને અન્ય નેતાઓએ ટીપ્પણી કરી હતી. જો કે પ્રિયંકાએ તેનાથી ડગ્યા વગર મુલાકાત લઇને અયોધ્યામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વારાણસી અંગે નિવેદન આપ્યું કે તેમણે વારાણસીમાં લોકોને પૂછ્યું કે શું વડાપ્રધાને પોતાના મત વિસ્તારના ગામડાઓની મુલાકાત લીધી છે ત્યારે લોકોએ તેમને કહ્યું કે ના, મોદીએ પોતાના મતવિસ્તારમાં આવતાં ગામોની મુલાકાત લીધી નથી. તે અંગે નવાઇ પામીને તેમણે કહ્યું કે મોદીએ વારાણસી માટે માત્ર મોટી મોટી જાહેરાતો કરી છે. વાસ્તવિક કામો કર્યા નથી. મોદી દુનિયા આખીમાં ફરીને બીજાને ગળે લગાવે છે પરંતુ પોતાના જ મતવિસ્તારના લોકોને ગળે લગાવતા નથી.આ તે કેવું..?
-
નૌકા દ્વારા વારાણસી પ્રવાસ કર્યા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વચ્ચે વિરામ રાખીને આજે રામની નગરી અયોધ્યા પહોંચી હતી. તેમની અયોધ્યા મુલાકાતને લઇને ભાજપ અને અન્ય નેતાઓએ ટીપ્પણી કરી હતી. જો કે પ્રિયંકાએ તેનાથી ડગ્યા વગર મુલાકાત લઇને અયોધ્યામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વારાણસી અંગે નિવેદન આપ્યું કે તેમણે વારાણસીમાં લોકોને પૂછ્યું કે શું વડાપ્રધાને પોતાના મત વિસ્તારના ગામડાઓની મુલાકાત લીધી છે ત્યારે લોકોએ તેમને કહ્યું કે ના, મોદીએ પોતાના મતવિસ્તારમાં આવતાં ગામોની મુલાકાત લીધી નથી. તે અંગે નવાઇ પામીને તેમણે કહ્યું કે મોદીએ વારાણસી માટે માત્ર મોટી મોટી જાહેરાતો કરી છે. વાસ્તવિક કામો કર્યા નથી. મોદી દુનિયા આખીમાં ફરીને બીજાને ગળે લગાવે છે પરંતુ પોતાના જ મતવિસ્તારના લોકોને ગળે લગાવતા નથી.આ તે કેવું..?