-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મીએ ફરીએકવાર બાબા વિશ્વનાથની નગરી વારાણસીથી લોકસભા માટે ઉમેદવારી પત્ર નોંધાવવાના છે ત્યારે આ વખતે તેમનો પનારો કોઇ અરવિંદ કેજરીવાલની સામે નહીં પણ કોંગ્રેસના નવા ચહેરા પ્રિયંકા ગાંધી સામે પડી શકે છે. કોંગ્રેસમાં એવી ચર્ચા છે કે પ્રિયંકાએ મોદીની સામે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવીને આખરી નિર્ણય પાર્ટી પર છોડ્યો છે. જો વારાણસીમાં મોદીની સામે પ્રિયંકા આવે તો પરિણામ રસપ્રદ નિવડી શકે. ગઇ વખતે મોદી આ બેઠક પર કેજરીવાલની સામે 3.71 લાખ મતોની સરસાઇથી જીત્યા હતા. આ વખતે તેમની સામે સપા-બસપાના અલગ અલગ ઉમેદવારો નહીં હોય એમ મનાય છે. સપા-બસપા ગઠબંધને કોંગ્રેસ માટે માત્ર બે બેઠકો અમેઠી અને રાયબરેલી ખાલી રાખી છે. વારાણસી અંગે રહસ્ય છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મીએ ફરીએકવાર બાબા વિશ્વનાથની નગરી વારાણસીથી લોકસભા માટે ઉમેદવારી પત્ર નોંધાવવાના છે ત્યારે આ વખતે તેમનો પનારો કોઇ અરવિંદ કેજરીવાલની સામે નહીં પણ કોંગ્રેસના નવા ચહેરા પ્રિયંકા ગાંધી સામે પડી શકે છે. કોંગ્રેસમાં એવી ચર્ચા છે કે પ્રિયંકાએ મોદીની સામે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવીને આખરી નિર્ણય પાર્ટી પર છોડ્યો છે. જો વારાણસીમાં મોદીની સામે પ્રિયંકા આવે તો પરિણામ રસપ્રદ નિવડી શકે. ગઇ વખતે મોદી આ બેઠક પર કેજરીવાલની સામે 3.71 લાખ મતોની સરસાઇથી જીત્યા હતા. આ વખતે તેમની સામે સપા-બસપાના અલગ અલગ ઉમેદવારો નહીં હોય એમ મનાય છે. સપા-બસપા ગઠબંધને કોંગ્રેસ માટે માત્ર બે બેઠકો અમેઠી અને રાયબરેલી ખાલી રાખી છે. વારાણસી અંગે રહસ્ય છે.