-
મોદીના અત્યાચાર- અન્યાય સામે અમારી ન્યાય યોજનાની જંગી જીત થશે-રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં ભાવનગર નજીક મહુવા ખાતે આયોજીત ચૂંટણી જાહેરસભાને આજે બપોરે ગરમીના તાપમાં સંબોધન કર્યું હતું. આ સભામાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ બેઠકના ઉમેદવારો હાજર રહ્યાં હતા. તેમણે કહ્યું પાંચ વર્ષ પહેલા ગુજરાતની પ્રજાએ તમામ 26 બેઠકો ભાજપને આપી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના છે. મોદીએ ગુજરાતના લોકોને પણ તેમના ખાતામાં 15 લાખ, ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને રોજગારીના વચનો આપ્યા હતા. પણ મોદી નિષ્ફળ નિવડ્યા છે. મોદીએ ધનિકોને અઢળક નાણાં આપ્યા પણ ખેડૂતો અને ગરીબોને કાંઇ આપ્યું નથી. કોંગ્રેસે અર્થશાસ્ત્રના નિષ્ણાતોને પૂછીને ગરીબો માટે મહિને 6 હજાર અને વર્ષે 72 હજાર આપવાની યોજના બનાવી છે. જે 15 લાખના વચન કરતાં શક્ય છે. અને કોંગ્રેસ સરકાર તે આપશે. તેનાથી નોટબંધી જેવા કોઇ પગલા લેવા નહીં પડે. કોઇ ટેક્સ નાંખવો નહીં પડે. 5 કરોડ પરિવાર અને 25 કરોડ લોકોને મહિને 72 હજાર મળવાથી લોકોની ખરીદ શક્તિ વધશે. બજારમાં પૈસો ફરતો થશે. બજારમાં અર્થતંત્રને વેગ મળશે. કોંગ્રેસની ન્યાય યોજના અર્થતંત્રનું એન્જીન છે. મોદીના અન્યાય સામે અમારી ન્યાય યોજના છે. તેમણે કહ્યું કે અનિલ અંબાણી, અદાણીને અઢળક જમીનો આપી છે. વિજય માલ્યા, નિરવ મોદી જેવા ચોરો પાસેથી આ નાણાં આવશે અને ગરીબોને આપીશું. કોઇ પણ ગુજરાતી યુવા ધંધો કરવા માંગશે તેને 3 વર્ષ સુધી સરકારની મંજૂરી લેવી નહીં પડે એવી વ્યવસ્થા કરાશે. મોદીએ ધનિકોના 3.50 લાખ કરોડ માફ કર્યા પણ ખેડૂતોના દેવા માફ કર્યા નથી. કેન્દ્રમાં સરકાર બનતા જ અમારી સરકાર 10 દિવસમાં ખેડૂતોનું દેવુ માફ કરાશે. મોદીએ પાક વીમાનું કામ અંબાણી સહિતના ધનિકોને સોંપ્યું છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતો માટે અલગથી બજેટ રજૂ કરાશે. અમારી સરકાર બનતાં જ ખેડૂતોની સામે દેવા માટે થતાં પોલીસ કેસ બંધ કરાશે. સરકારી બાકી લેણાં અંગે કોઇ ખેડૂતોને જેલમાં નહીં નાંખીએ. તેમણે રાફેલ વિમાન સોદા અંગે અનિલ અંબાણી અને મોદી સરકાર પ્રહારો કર્યા હતા. ખેડૂતો અને મજૂરોના ઘરે ચોકીદાર હોતા નથી. મોદી અદાણી અને અંબાણી જેવા ધનિકોના ઘરનો ચોકીદાર છે. એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરીઓ ભરવામાં આવશે.
-
મોદીના અત્યાચાર- અન્યાય સામે અમારી ન્યાય યોજનાની જંગી જીત થશે-રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં ભાવનગર નજીક મહુવા ખાતે આયોજીત ચૂંટણી જાહેરસભાને આજે બપોરે ગરમીના તાપમાં સંબોધન કર્યું હતું. આ સભામાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ બેઠકના ઉમેદવારો હાજર રહ્યાં હતા. તેમણે કહ્યું પાંચ વર્ષ પહેલા ગુજરાતની પ્રજાએ તમામ 26 બેઠકો ભાજપને આપી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના છે. મોદીએ ગુજરાતના લોકોને પણ તેમના ખાતામાં 15 લાખ, ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને રોજગારીના વચનો આપ્યા હતા. પણ મોદી નિષ્ફળ નિવડ્યા છે. મોદીએ ધનિકોને અઢળક નાણાં આપ્યા પણ ખેડૂતો અને ગરીબોને કાંઇ આપ્યું નથી. કોંગ્રેસે અર્થશાસ્ત્રના નિષ્ણાતોને પૂછીને ગરીબો માટે મહિને 6 હજાર અને વર્ષે 72 હજાર આપવાની યોજના બનાવી છે. જે 15 લાખના વચન કરતાં શક્ય છે. અને કોંગ્રેસ સરકાર તે આપશે. તેનાથી નોટબંધી જેવા કોઇ પગલા લેવા નહીં પડે. કોઇ ટેક્સ નાંખવો નહીં પડે. 5 કરોડ પરિવાર અને 25 કરોડ લોકોને મહિને 72 હજાર મળવાથી લોકોની ખરીદ શક્તિ વધશે. બજારમાં પૈસો ફરતો થશે. બજારમાં અર્થતંત્રને વેગ મળશે. કોંગ્રેસની ન્યાય યોજના અર્થતંત્રનું એન્જીન છે. મોદીના અન્યાય સામે અમારી ન્યાય યોજના છે. તેમણે કહ્યું કે અનિલ અંબાણી, અદાણીને અઢળક જમીનો આપી છે. વિજય માલ્યા, નિરવ મોદી જેવા ચોરો પાસેથી આ નાણાં આવશે અને ગરીબોને આપીશું. કોઇ પણ ગુજરાતી યુવા ધંધો કરવા માંગશે તેને 3 વર્ષ સુધી સરકારની મંજૂરી લેવી નહીં પડે એવી વ્યવસ્થા કરાશે. મોદીએ ધનિકોના 3.50 લાખ કરોડ માફ કર્યા પણ ખેડૂતોના દેવા માફ કર્યા નથી. કેન્દ્રમાં સરકાર બનતા જ અમારી સરકાર 10 દિવસમાં ખેડૂતોનું દેવુ માફ કરાશે. મોદીએ પાક વીમાનું કામ અંબાણી સહિતના ધનિકોને સોંપ્યું છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતો માટે અલગથી બજેટ રજૂ કરાશે. અમારી સરકાર બનતાં જ ખેડૂતોની સામે દેવા માટે થતાં પોલીસ કેસ બંધ કરાશે. સરકારી બાકી લેણાં અંગે કોઇ ખેડૂતોને જેલમાં નહીં નાંખીએ. તેમણે રાફેલ વિમાન સોદા અંગે અનિલ અંબાણી અને મોદી સરકાર પ્રહારો કર્યા હતા. ખેડૂતો અને મજૂરોના ઘરે ચોકીદાર હોતા નથી. મોદી અદાણી અને અંબાણી જેવા ધનિકોના ઘરનો ચોકીદાર છે. એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરીઓ ભરવામાં આવશે.