Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ભાજપનો ઢંઢેરો જાહેર થાય તે પહેલા આજે હમ નિભાયેંગે..ના નામે જન આવાજ ઢંઢેરો બહાર પાડી દીધો છે. કોંગ્રેસનું પ્રતિક પંજો એટલે તેમણે પાંચ મહત્વની યોજના કે વચનો જાહેર કર્યા છે. જેને પંજાનું પંચતંત્ર પણ કહી શકાય. કોંગ્રેસના ઢંઢેરામાં જે મુખ્ય પાંચ બાબતો છે તે મનરેગા, ન્યાય, રોજગાર, શિક્ષણ અને ખેડૂતના એક એક અક્ષર લઇ તો મનરોશિખે થાય. આ પાંચ પંચતંત્રની યોજના મનરો શિખેના સહારે કોંગ્રેસ દિલ્હીના શિખરે પહોંચી શક્શે કે કેમ તેની પણ રાજકીય ચર્ચા થઇ રહી છે.

    રાહુલ ગાંધીએ જન આવાજ ઢંઢેરો જાહેર કરતા જણાવ્યું હતું કે, ‘આ મેનિફેસ્ટોમાં લોકોનો અવાજ સંભળાય છે. તેમાં મારા મનની વાત નથી. સૌપ્રથમ મેનિફેસ્ટોમાં ન્યાય યોજનાને સ્થાન અપાયું છે. કોંગ્રેસ પાંચ કરોડ ગરીબોને મહિને 6000 અને વર્ષે 72,000 રૂપિયાની યોજના લાવશે. પાંચ વર્ષમાં ગરીબ ઘરને 3.6 લાખ આપવામાં આવશે. આ યોજનાનું સૂત્ર છે કે ગરીબી પર વાર… 72,000.’ આ ઉપરાંત દેશમાં સૌથી મોટી સમસ્યા બેકારીની છે. વડાપ્રધાન મોદીએ માત્ર ખોટા વાયદા કર્યા છે. અમારી સરકાર કોઈ ખોટા વાયદા નહીં કરે અને આ મેનિફેસ્ટોમાં જણાવવામાં આવેલી દરેક બાબતનો અમલ કરાશે.

    કોંગ્રેસ બેકારી દૂર કરવા પ્રયાસ કરશે. 22 લાખ સરકારી નોકરીઓ ખાલી પડી છે તેને કોંગ્રેસ 2020 સુધીમાં ભરશે. આ ઉપરાંત 10 લાખ જેટલા યુવાઓને ગ્રામ પંચાયતોમાં નોકરી અપાશે. નવા ઉદ્યોગો (સ્ટાર્ટ અપ) સ્થાપવામાં ઉદાર વલણ અપનાવવામાં આવશે. કોંગ્રેસની સરકાર ત્રણ વર્ષ સુધી નવા સ્ટાર્ટ અપને સ્થાપવા માટે તમામ મંજૂરીઓમાંથી મુક્તિ આપશે.

    મેનિફેસ્ટોમાં ત્રીજો મુદ્દો ખેડૂતોને લગતો હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. ખેડૂતોને તમામ મદદ કરવા કોંગ્રેસ તત્પર રહેશે.. અગાઉ મોટા મોટા ઉદ્યોગપતિઓ લોન લઈ ભાગી જતા તેમની સામે કોઈ જ પગલાં ના લેવાયા પરંતુ ખેડૂતો નાણાં લઈ પરત નહીં ચૂકવી શકતા તેમની વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થાય છે. કોંગ્રેસ આવશે તો ખેડૂતોને લોન નહીં ચૂકવવા બદલ ફોજદારી ગુનામાંથી છુટકારો આપશે.

    આ ઉપરાંત મેનિફેસ્ટોમાં શિક્ષણ અને સ્વાસ્થ્યનો પણ રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો હતો. મેનિફેસ્ટો જાહેર ક્યા બાદ પત્રકારો સાથે સંવાદમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ જીડીપીના 6 ટકા શિક્ષણ પાછળ ખર્ચ કરશે. દેશની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ કોંગ્રેસ ભાર આપશે અને સરકારી સ્વાસ્થ્ય સુવિધાને વધુ મજબૂત બનાવી ગરીબોને અદ્યતન સારવાર મળે તેનો ખ્યાલ રખાશે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

  • કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ભાજપનો ઢંઢેરો જાહેર થાય તે પહેલા આજે હમ નિભાયેંગે..ના નામે જન આવાજ ઢંઢેરો બહાર પાડી દીધો છે. કોંગ્રેસનું પ્રતિક પંજો એટલે તેમણે પાંચ મહત્વની યોજના કે વચનો જાહેર કર્યા છે. જેને પંજાનું પંચતંત્ર પણ કહી શકાય. કોંગ્રેસના ઢંઢેરામાં જે મુખ્ય પાંચ બાબતો છે તે મનરેગા, ન્યાય, રોજગાર, શિક્ષણ અને ખેડૂતના એક એક અક્ષર લઇ તો મનરોશિખે થાય. આ પાંચ પંચતંત્રની યોજના મનરો શિખેના સહારે કોંગ્રેસ દિલ્હીના શિખરે પહોંચી શક્શે કે કેમ તેની પણ રાજકીય ચર્ચા થઇ રહી છે.

    રાહુલ ગાંધીએ જન આવાજ ઢંઢેરો જાહેર કરતા જણાવ્યું હતું કે, ‘આ મેનિફેસ્ટોમાં લોકોનો અવાજ સંભળાય છે. તેમાં મારા મનની વાત નથી. સૌપ્રથમ મેનિફેસ્ટોમાં ન્યાય યોજનાને સ્થાન અપાયું છે. કોંગ્રેસ પાંચ કરોડ ગરીબોને મહિને 6000 અને વર્ષે 72,000 રૂપિયાની યોજના લાવશે. પાંચ વર્ષમાં ગરીબ ઘરને 3.6 લાખ આપવામાં આવશે. આ યોજનાનું સૂત્ર છે કે ગરીબી પર વાર… 72,000.’ આ ઉપરાંત દેશમાં સૌથી મોટી સમસ્યા બેકારીની છે. વડાપ્રધાન મોદીએ માત્ર ખોટા વાયદા કર્યા છે. અમારી સરકાર કોઈ ખોટા વાયદા નહીં કરે અને આ મેનિફેસ્ટોમાં જણાવવામાં આવેલી દરેક બાબતનો અમલ કરાશે.

    કોંગ્રેસ બેકારી દૂર કરવા પ્રયાસ કરશે. 22 લાખ સરકારી નોકરીઓ ખાલી પડી છે તેને કોંગ્રેસ 2020 સુધીમાં ભરશે. આ ઉપરાંત 10 લાખ જેટલા યુવાઓને ગ્રામ પંચાયતોમાં નોકરી અપાશે. નવા ઉદ્યોગો (સ્ટાર્ટ અપ) સ્થાપવામાં ઉદાર વલણ અપનાવવામાં આવશે. કોંગ્રેસની સરકાર ત્રણ વર્ષ સુધી નવા સ્ટાર્ટ અપને સ્થાપવા માટે તમામ મંજૂરીઓમાંથી મુક્તિ આપશે.

    મેનિફેસ્ટોમાં ત્રીજો મુદ્દો ખેડૂતોને લગતો હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. ખેડૂતોને તમામ મદદ કરવા કોંગ્રેસ તત્પર રહેશે.. અગાઉ મોટા મોટા ઉદ્યોગપતિઓ લોન લઈ ભાગી જતા તેમની સામે કોઈ જ પગલાં ના લેવાયા પરંતુ ખેડૂતો નાણાં લઈ પરત નહીં ચૂકવી શકતા તેમની વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થાય છે. કોંગ્રેસ આવશે તો ખેડૂતોને લોન નહીં ચૂકવવા બદલ ફોજદારી ગુનામાંથી છુટકારો આપશે.

    આ ઉપરાંત મેનિફેસ્ટોમાં શિક્ષણ અને સ્વાસ્થ્યનો પણ રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો હતો. મેનિફેસ્ટો જાહેર ક્યા બાદ પત્રકારો સાથે સંવાદમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ જીડીપીના 6 ટકા શિક્ષણ પાછળ ખર્ચ કરશે. દેશની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ કોંગ્રેસ ભાર આપશે અને સરકારી સ્વાસ્થ્ય સુવિધાને વધુ મજબૂત બનાવી ગરીબોને અદ્યતન સારવાર મળે તેનો ખ્યાલ રખાશે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ