ગુજરાતની આન-બાન અને શાન ગણાતા સિંહો પર ભેદી રોગચાળાનું સંકટ મંડરાઇ રહ્યું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર સિમ વિસ્તારમાં 2 સિંહબાળના શંકાસ્પદ રીતે મોત થતાં ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા 11 સિંહોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 9 સિંહબાળ અને 1 સિંહણને પાંજરે પૂરવામાં આવ્યા છે.