દિલ્હીમાં ભડકેલી હિંસા પર કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યુ હતું, જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કોંગ્રેસ તરફથી મેમોરેન્ડમ આપવામાં આવ્યુ હતું. રાષ્ટ્રપતિને મળ્યા બાદ સોનિયા ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે, અમે ગૃહમંત્રીને હટાવવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારની બેદરકારીને કારણે જ દિલ્હીમાં હિંસા વધી છે. ઉલ્લેખનીય છે કે, CAA વિરુદ્ધ ભડકેલી હિંસામાં નોર્થ ઇસ્ટ દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે.
દિલ્હીમાં ભડકેલી હિંસા પર કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યુ હતું, જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કોંગ્રેસ તરફથી મેમોરેન્ડમ આપવામાં આવ્યુ હતું. રાષ્ટ્રપતિને મળ્યા બાદ સોનિયા ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે, અમે ગૃહમંત્રીને હટાવવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારની બેદરકારીને કારણે જ દિલ્હીમાં હિંસા વધી છે. ઉલ્લેખનીય છે કે, CAA વિરુદ્ધ ભડકેલી હિંસામાં નોર્થ ઇસ્ટ દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે.