Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તમામ રાજ્યોના ક્રિકેટ એસોસિએશનને જણાવ્યું કે, વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો થયા બાદ ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ કરવામાં આવશે. જો કે આગામી સીઝન ક્યારથી શરૂ થશે તેની ચોક્કસ માહિતી બીસીસીઆઈ અધ્યક્ષે આપી નહતી.

સામાન્ય સ્થિતિમાં ઓગસ્ટ મહિનાથી ડોમેસ્ટિક સીઝનનો પ્રારંભ થતો હોય છે પરંતુ કોરોના મહામારીને પગલે સ્થિતિ ડામાડોળ બની ગઈ છે. ગાંગુલીએ ગુરુવારે રાજ્યોના ક્રિકેટ એસોસિએશનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ કરવા હજુ કોઈ ચોક્કસ તારીખ નક્કી નથી કરવામાં આવી. એક અંદાજ મુજબ નવેમ્બરના ત્રીજા સપ્તાહથી સૈયદ મુસ્તાક અલી ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ સાથે ડોમેસ્ટિક ક્રિકેટનો પ્રારંભ થઈ શકે છે.  

ઘરઆંગણે ક્રિકેટને પુનઃ સામાન્ય સ્થિતિમાં લાવવા માટે બોર્ડ તમામ પ્રયત્નો કરી રહ્યું છે અને પરિસ્થિતિ અનુકૂળ બને તેની રાહ જોવામાં આવી રહી છે. ખેલાડીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા બોર્ડ માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. ડોમેસ્ટિક ક્રિકેટ સાથે સંકળાયેલા તમામ લોકોના આરોગ્ય પ્રત્યે બોર્ડ ચિંતિત છે અને તમામ પાસાંઓની ચકાસણી કરાઈ રહી છે, તેમ બોર્ડ સાથે સંકળાયેલા તમામ એસોસિએશનના અધ્યક્ષ અને સચિવને સંબોધીને ગાંગુલીએ લખેલા પત્રમાં જણાવ્યું હતું.   

આંતરાષ્ટ્રીય ક્રિકેટ અંગે ગાંગુલીએ જણાવ્યું કે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે બોર્ડ આશાવાદી છે. આ ઉપરાંત 2021માં ઈંગ્લેન્ડની યજમાની પણ ભારત કરશે. 2021માં ભારત ટી20 વર્લ્ડ કપ તેમજ 2023માં વન-ડે વર્લ્ડ કપ માટે પણ ભારત સજ્જ છે.  

ભારતી ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્રવાસ અંગે પણ બોર્ડ વિચારણા કરી રહ્યું છે જો કે તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું નહતું.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તમામ રાજ્યોના ક્રિકેટ એસોસિએશનને જણાવ્યું કે, વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો થયા બાદ ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ કરવામાં આવશે. જો કે આગામી સીઝન ક્યારથી શરૂ થશે તેની ચોક્કસ માહિતી બીસીસીઆઈ અધ્યક્ષે આપી નહતી.

સામાન્ય સ્થિતિમાં ઓગસ્ટ મહિનાથી ડોમેસ્ટિક સીઝનનો પ્રારંભ થતો હોય છે પરંતુ કોરોના મહામારીને પગલે સ્થિતિ ડામાડોળ બની ગઈ છે. ગાંગુલીએ ગુરુવારે રાજ્યોના ક્રિકેટ એસોસિએશનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ કરવા હજુ કોઈ ચોક્કસ તારીખ નક્કી નથી કરવામાં આવી. એક અંદાજ મુજબ નવેમ્બરના ત્રીજા સપ્તાહથી સૈયદ મુસ્તાક અલી ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ સાથે ડોમેસ્ટિક ક્રિકેટનો પ્રારંભ થઈ શકે છે.  

ઘરઆંગણે ક્રિકેટને પુનઃ સામાન્ય સ્થિતિમાં લાવવા માટે બોર્ડ તમામ પ્રયત્નો કરી રહ્યું છે અને પરિસ્થિતિ અનુકૂળ બને તેની રાહ જોવામાં આવી રહી છે. ખેલાડીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા બોર્ડ માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. ડોમેસ્ટિક ક્રિકેટ સાથે સંકળાયેલા તમામ લોકોના આરોગ્ય પ્રત્યે બોર્ડ ચિંતિત છે અને તમામ પાસાંઓની ચકાસણી કરાઈ રહી છે, તેમ બોર્ડ સાથે સંકળાયેલા તમામ એસોસિએશનના અધ્યક્ષ અને સચિવને સંબોધીને ગાંગુલીએ લખેલા પત્રમાં જણાવ્યું હતું.   

આંતરાષ્ટ્રીય ક્રિકેટ અંગે ગાંગુલીએ જણાવ્યું કે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે બોર્ડ આશાવાદી છે. આ ઉપરાંત 2021માં ઈંગ્લેન્ડની યજમાની પણ ભારત કરશે. 2021માં ભારત ટી20 વર્લ્ડ કપ તેમજ 2023માં વન-ડે વર્લ્ડ કપ માટે પણ ભારત સજ્જ છે.  

ભારતી ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્રવાસ અંગે પણ બોર્ડ વિચારણા કરી રહ્યું છે જો કે તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું નહતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ