Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ૬૦ વર્ષીય પ્રેમદાસ પ્રજાપતિ માત્ર ૨ વર્ષની ઉંમરથી જ દ્રષ્ટિ ગુમાવી ચુક્યા છે...તેમણે નરી આંખે સૃષ્ટિ નથી જોઈ એમ કહીએ તો ખોટુ પણ નથી..પણ દુનિયાદારીનું જ્ઞાન ભરપુર છે...લોકશાહીની પ્રક્રિયામાં સૌથી મહત્વનું કામ છે મતદાનનું... આ મતદાન ન કરીએ તો શું થાય...? એ પ્રશ્નનો સહજ ઉત્તર આપતા તેઓ કહે છે કે...” હું માનુ છુ કે મતદાન ન કરવું એ તો પાપ છે... આપણે આપણા અધિકાર-હકક માટે સદાય તત્પર રહીએ છીએ પરંતુ ફરજ અદા કરવાની વાત આવે ત્યારે આપણે પાછીપાની કરીએ છીએ.. મારા મતે તો દિવ્યાંગ અમે નથી પણ મતદાન કરવાન જનારા જ માનસિક રીતે દિવ્યાંગ છે...” એમ તેઓ ઉમેરે છે...

    શારીરિક અક્ષમતા હોય તો પણ કોઈની દયા પર નહી જીવવાની કટિબધ્ધતા ધરાવતા આ દિવ્યાંગજનો ખરેખર તો બધી રીતે સક્ષમ છે એમ કહેવું ખોટુ નથી...

    લોકસભાની ચુંટણી ૨૩મી એપ્રિલે યોજાવાની છે. અમદાવદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચુંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર ચુંટણી શાંતિ પુર્ણ રીતે સંપન્ન થાય તેની સાથે સાથે મહત્તમ મતદાન થાય તે માટે તૈયારીઓમાં વ્યસ્ત છે.

  • જિલ્લામાં કુલ ૧૬,૩૭૫ દિવ્યાંગ મતદારો છે. વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ૨,૫૭૯ દિવ્યાંગ મતદારો છે. સાણંદ વિધાનસભા વિસ્તારમાં ૨,૦૫૫ , ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ૬૦૦, વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ૭૩૫, વટવા વિધાનસભા વિસ્તારમાં ૪૯૪, એલીસબ્રીજ વિધાનસભા વિસ્તારમાં ૨૯૭, નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ૩૫૩, નિકોલ વિધાનસભા વિસ્તારમાં ૪૪૯, નરોડા વિધાનસભા વિસ્તારમાં ૪૧૦, તથા ઠક્કરબાપાનગર વિધાનસભા વિસ્તારમાં ૪૫૬ દિવ્યાંગ મતદારો છે. જ્યારે બાપુનગર વિધાનસભા વિસ્તારમાં ૬૬૨, અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં ૭૭૩, દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં ૩૪૯, જમાલપુર-ખાડીયા વિધાનસભા વિસ્તારમાં ૪૭૮, મણીનગર વિધાનસભા વિસ્તારમાં ૬૯૩, દાણીલીમડા વિધાનસભા વિસ્તારમાં ૫૦૬, સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ૮૧૦, અસારવા વિધાનસભા વિસ્તારમાં ૨૫૮, દસક્રોઈ વિધાનસભા વિસ્તારમાં ૪૨૮, ધોળકા વિધાનસભા વિસ્તારમાં ૧૩૧૫, તથા ધંધુકા વિધાનસભા વિસ્તારમાં ૧૬૭૫ દિવ્યાંગ મતદારો છે. આમ સૌથી વધુ વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ૨,૫૭૯ દિવ્યાંગ મતદારો છે જ્યારે સૌથી ઓછા
  • અસારવા વિધાનસભા વિસ્તારમાં ૨૫૮ દિવ્યાંગ મતદારો છે.

    આમાં મૂક, બધિર, અલ્પ દ્રષ્ટિ, હલન ચલનમાં તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં સંપુર્ણ દ્રષ્ટિ ન હોય તેવા ૨,૨૯૮ મતદારો, ૧૯૯૧ મૂક બધિર, સંપુર્ણ હલનચલન ન કરી શકે તેવા ૬,૯૭૫ મતદારો અને અન્ય શારીરિક અક્ષમતા હોય તેવા ૫,૧૧૧ મતદારો છે.

    ૨૧ વર્ષીય જયદીપ પીપરોતર કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. અમદાવાદ રહી અભ્યાસ કરતા જયદીપભાઈની ઉંચાઈ આમ તો ૨.૧૦ ફૂટ ( ૨ ફૂટ, ૧૦ ઈંચ ) છે. તેઓ કહે છે કે મારી શારીરિક ઉંચાઈ ભલે ઓછી હોય પણ મારી વૈચારિક ઉંચાઈ અનેક ગણી વધારે છે...

  • જિલ્લાનો એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તેની સાથે સાથે દિવ્યાંગ મતદારો માટે તંત્રએ વિશેષ સુવિધા ઉભી કરી છે. જિલ્લા ચુંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે કહે છે કે... “ આ મતદારો મતદાન મથકોએ સરળતાથી જઈ શકે તે માટે ઢોળાવ અથવા તો વ્હીલ ચેરની વ્યવસ્થા કરાનાર છે. શહેર જિલ્લામાં અંદાજે ૪૫૦ વ્હીલ ચેરની વ્યવસ્થા તથા ૧૦૯૨ સહાયકો ઉપલબ્ધ કરાશે...” તેમ તેમણે ઉમેર્યું હતું.
  • માનવ મંડળમાં ગૃહ પતિ તરીકે સેવા આપતા અલ્પેશ ચૌહાણ કહે છે કે...”મને પોલીયો થયો છે. માત્ર સવા બે વર્ષની નાની ઉંમરથી જ આ બીમારી લાગી ગઈ હતી. હું છેલ્લા ત્રણ વર્ષથી વ્હીલ ચેરમાં ફરુ છું... પણ હું હિંમત નથી હાર્યો.. શારીરિક રીતે સક્ષમ લોકો મતદાનના દિવસે ટી.વી સામે ગોઠવાઈને આખો દિવસ મનોરંજન માણે છે.. અને પાંચ વર્ષ સુધી સરકારે શું કરવું જોઈએ તેની ચર્ચા કરતા રહે છે..પણ થોડો સમય કાઢીને મતદાન કરવા નથી જતા.. એ બહુ દૂ:ખદ છે...” એમ તેઓ ઉમેરે છે.
  • આજ રીતે ૨૪ વર્ષના મનદીપ ગોહીલ ફેશન ડિઝાઈનર ઈન્સ્ટ્રક્ટર છે તેઓ તો માત્ર ૩ ફૂટની ઉંચાઈ ધરાવે છે. તેઓ પણ કહે છે કે “ મારા મનમાં મેં શારીરિક અવસ્થાને લીધે ક્યારેય લઘુતાગ્રંથિ નથી અનુભવી... અમે મતદાન અચુક કરવા જઈએ છીએ..” ૪.૫ ફૂટની ઉંચાઈ ધરાવતા શ્રી તુલસી ભોઈ પણ કહે છે કે, “ ચુંટણી તંત્ર અમારા માટે વ્હીલચેર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરી છે તે ખરેખર સરાહનીય છે... આને લીધે અમારી મતદાન કરવાની ફરજ ખુબ સરળ રીતે અદા થઈ શકે છે...” અલ્પેશ ચૌહાણ, તુલસી ભોઈ અને મનદીપ ગોહીલ કહે છે કે..: અમારે ભલે પગ નથી પણ મતદાન કરવા દોડવું છે... આવાજ અન્ય એક દિવ્યાંગ યુવક કે છે કે...” મારે ભલે હાથ નથી પણ હું ઈ.વી.એમ. મશીનમાં બટન દબાવવા કટિબધ્ધ છુ...”

    સલામ છે આ દિવ્યાંગ મતદારોના જોશ અને જુસ્સાને...

  • ૬૦ વર્ષીય પ્રેમદાસ પ્રજાપતિ માત્ર ૨ વર્ષની ઉંમરથી જ દ્રષ્ટિ ગુમાવી ચુક્યા છે...તેમણે નરી આંખે સૃષ્ટિ નથી જોઈ એમ કહીએ તો ખોટુ પણ નથી..પણ દુનિયાદારીનું જ્ઞાન ભરપુર છે...લોકશાહીની પ્રક્રિયામાં સૌથી મહત્વનું કામ છે મતદાનનું... આ મતદાન ન કરીએ તો શું થાય...? એ પ્રશ્નનો સહજ ઉત્તર આપતા તેઓ કહે છે કે...” હું માનુ છુ કે મતદાન ન કરવું એ તો પાપ છે... આપણે આપણા અધિકાર-હકક માટે સદાય તત્પર રહીએ છીએ પરંતુ ફરજ અદા કરવાની વાત આવે ત્યારે આપણે પાછીપાની કરીએ છીએ.. મારા મતે તો દિવ્યાંગ અમે નથી પણ મતદાન કરવાન જનારા જ માનસિક રીતે દિવ્યાંગ છે...” એમ તેઓ ઉમેરે છે...

    શારીરિક અક્ષમતા હોય તો પણ કોઈની દયા પર નહી જીવવાની કટિબધ્ધતા ધરાવતા આ દિવ્યાંગજનો ખરેખર તો બધી રીતે સક્ષમ છે એમ કહેવું ખોટુ નથી...

    લોકસભાની ચુંટણી ૨૩મી એપ્રિલે યોજાવાની છે. અમદાવદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચુંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર ચુંટણી શાંતિ પુર્ણ રીતે સંપન્ન થાય તેની સાથે સાથે મહત્તમ મતદાન થાય તે માટે તૈયારીઓમાં વ્યસ્ત છે.

  • જિલ્લામાં કુલ ૧૬,૩૭૫ દિવ્યાંગ મતદારો છે. વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ૨,૫૭૯ દિવ્યાંગ મતદારો છે. સાણંદ વિધાનસભા વિસ્તારમાં ૨,૦૫૫ , ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ૬૦૦, વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ૭૩૫, વટવા વિધાનસભા વિસ્તારમાં ૪૯૪, એલીસબ્રીજ વિધાનસભા વિસ્તારમાં ૨૯૭, નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ૩૫૩, નિકોલ વિધાનસભા વિસ્તારમાં ૪૪૯, નરોડા વિધાનસભા વિસ્તારમાં ૪૧૦, તથા ઠક્કરબાપાનગર વિધાનસભા વિસ્તારમાં ૪૫૬ દિવ્યાંગ મતદારો છે. જ્યારે બાપુનગર વિધાનસભા વિસ્તારમાં ૬૬૨, અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં ૭૭૩, દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં ૩૪૯, જમાલપુર-ખાડીયા વિધાનસભા વિસ્તારમાં ૪૭૮, મણીનગર વિધાનસભા વિસ્તારમાં ૬૯૩, દાણીલીમડા વિધાનસભા વિસ્તારમાં ૫૦૬, સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ૮૧૦, અસારવા વિધાનસભા વિસ્તારમાં ૨૫૮, દસક્રોઈ વિધાનસભા વિસ્તારમાં ૪૨૮, ધોળકા વિધાનસભા વિસ્તારમાં ૧૩૧૫, તથા ધંધુકા વિધાનસભા વિસ્તારમાં ૧૬૭૫ દિવ્યાંગ મતદારો છે. આમ સૌથી વધુ વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ૨,૫૭૯ દિવ્યાંગ મતદારો છે જ્યારે સૌથી ઓછા
  • અસારવા વિધાનસભા વિસ્તારમાં ૨૫૮ દિવ્યાંગ મતદારો છે.

    આમાં મૂક, બધિર, અલ્પ દ્રષ્ટિ, હલન ચલનમાં તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં સંપુર્ણ દ્રષ્ટિ ન હોય તેવા ૨,૨૯૮ મતદારો, ૧૯૯૧ મૂક બધિર, સંપુર્ણ હલનચલન ન કરી શકે તેવા ૬,૯૭૫ મતદારો અને અન્ય શારીરિક અક્ષમતા હોય તેવા ૫,૧૧૧ મતદારો છે.

    ૨૧ વર્ષીય જયદીપ પીપરોતર કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. અમદાવાદ રહી અભ્યાસ કરતા જયદીપભાઈની ઉંચાઈ આમ તો ૨.૧૦ ફૂટ ( ૨ ફૂટ, ૧૦ ઈંચ ) છે. તેઓ કહે છે કે મારી શારીરિક ઉંચાઈ ભલે ઓછી હોય પણ મારી વૈચારિક ઉંચાઈ અનેક ગણી વધારે છે...

  • જિલ્લાનો એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તેની સાથે સાથે દિવ્યાંગ મતદારો માટે તંત્રએ વિશેષ સુવિધા ઉભી કરી છે. જિલ્લા ચુંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે કહે છે કે... “ આ મતદારો મતદાન મથકોએ સરળતાથી જઈ શકે તે માટે ઢોળાવ અથવા તો વ્હીલ ચેરની વ્યવસ્થા કરાનાર છે. શહેર જિલ્લામાં અંદાજે ૪૫૦ વ્હીલ ચેરની વ્યવસ્થા તથા ૧૦૯૨ સહાયકો ઉપલબ્ધ કરાશે...” તેમ તેમણે ઉમેર્યું હતું.
  • માનવ મંડળમાં ગૃહ પતિ તરીકે સેવા આપતા અલ્પેશ ચૌહાણ કહે છે કે...”મને પોલીયો થયો છે. માત્ર સવા બે વર્ષની નાની ઉંમરથી જ આ બીમારી લાગી ગઈ હતી. હું છેલ્લા ત્રણ વર્ષથી વ્હીલ ચેરમાં ફરુ છું... પણ હું હિંમત નથી હાર્યો.. શારીરિક રીતે સક્ષમ લોકો મતદાનના દિવસે ટી.વી સામે ગોઠવાઈને આખો દિવસ મનોરંજન માણે છે.. અને પાંચ વર્ષ સુધી સરકારે શું કરવું જોઈએ તેની ચર્ચા કરતા રહે છે..પણ થોડો સમય કાઢીને મતદાન કરવા નથી જતા.. એ બહુ દૂ:ખદ છે...” એમ તેઓ ઉમેરે છે.
  • આજ રીતે ૨૪ વર્ષના મનદીપ ગોહીલ ફેશન ડિઝાઈનર ઈન્સ્ટ્રક્ટર છે તેઓ તો માત્ર ૩ ફૂટની ઉંચાઈ ધરાવે છે. તેઓ પણ કહે છે કે “ મારા મનમાં મેં શારીરિક અવસ્થાને લીધે ક્યારેય લઘુતાગ્રંથિ નથી અનુભવી... અમે મતદાન અચુક કરવા જઈએ છીએ..” ૪.૫ ફૂટની ઉંચાઈ ધરાવતા શ્રી તુલસી ભોઈ પણ કહે છે કે, “ ચુંટણી તંત્ર અમારા માટે વ્હીલચેર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરી છે તે ખરેખર સરાહનીય છે... આને લીધે અમારી મતદાન કરવાની ફરજ ખુબ સરળ રીતે અદા થઈ શકે છે...” અલ્પેશ ચૌહાણ, તુલસી ભોઈ અને મનદીપ ગોહીલ કહે છે કે..: અમારે ભલે પગ નથી પણ મતદાન કરવા દોડવું છે... આવાજ અન્ય એક દિવ્યાંગ યુવક કે છે કે...” મારે ભલે હાથ નથી પણ હું ઈ.વી.એમ. મશીનમાં બટન દબાવવા કટિબધ્ધ છુ...”

    સલામ છે આ દિવ્યાંગ મતદારોના જોશ અને જુસ્સાને...

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ