-
યુપીએ સરકાર સામે જન્મતારીખના મામલે સુપ્રિમ કોર્ટ સુધી લડનાર અને છેવટે કોર્ટની તાકીદતી રીટ પાછી ખેંચનાર તથા નિવૃતિ બાદ તરતજ ભાજપમાં જોડાઇને મોદી સરકારમાં મંત્રી બનેલા ભારતની સેનાના પૂર્વ જનરલ વી.કે.સિંગનો આત્મા જાગ્યો છે. ભાજપના મુખ્યમંત્રી યોગી આદિત્યને ભારતની સેનાને મોદીની સેના ગણાવી છે. તે અંગે પૂર્વ સેનાઅધ્યક્ષ સિંગે શબ્દો ચોર્યા વગર કહ્યું કે જે કોઇ ભારતની સેનાને મોદીની સેના તરીકે કહેતા હોય તે માત્ર ખોટુ છે એટલું જ નહીં પણ દેશદ્રોહી પણ છે. સૂત્રો કહે છે કે મોદી સરકારના જ મંત્રીએ પોતાના પક્ષના મુખ્યમંત્રીને આડે હાથે લીધા છે. તેમણે કહ્યું કે ભારતની સેના અને મોદીની સેના એ બેમાં ફર્ક છે. ભારતની સેના તટસ્થ હોય છે. કોઇ રાજકીય પક્ષની હોતી નથી. (ફાઇલ તસ્વીર-જનરલ વી.કે.સિંગ)
-
યુપીએ સરકાર સામે જન્મતારીખના મામલે સુપ્રિમ કોર્ટ સુધી લડનાર અને છેવટે કોર્ટની તાકીદતી રીટ પાછી ખેંચનાર તથા નિવૃતિ બાદ તરતજ ભાજપમાં જોડાઇને મોદી સરકારમાં મંત્રી બનેલા ભારતની સેનાના પૂર્વ જનરલ વી.કે.સિંગનો આત્મા જાગ્યો છે. ભાજપના મુખ્યમંત્રી યોગી આદિત્યને ભારતની સેનાને મોદીની સેના ગણાવી છે. તે અંગે પૂર્વ સેનાઅધ્યક્ષ સિંગે શબ્દો ચોર્યા વગર કહ્યું કે જે કોઇ ભારતની સેનાને મોદીની સેના તરીકે કહેતા હોય તે માત્ર ખોટુ છે એટલું જ નહીં પણ દેશદ્રોહી પણ છે. સૂત્રો કહે છે કે મોદી સરકારના જ મંત્રીએ પોતાના પક્ષના મુખ્યમંત્રીને આડે હાથે લીધા છે. તેમણે કહ્યું કે ભારતની સેના અને મોદીની સેના એ બેમાં ફર્ક છે. ભારતની સેના તટસ્થ હોય છે. કોઇ રાજકીય પક્ષની હોતી નથી. (ફાઇલ તસ્વીર-જનરલ વી.કે.સિંગ)