Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આજે 10 વાગે તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચીને તેઓ હેલીકોપ્ટર મારફતે જૂનાગઢ પહોચ્યા હતા. ત્યા તેમણે વિશાળ જનમેદનીને સંબોધી હતી. તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, મને આજે અહી આવવાનું સોભાગ્ય મળ્યું છે. જેના બાદ તેમણે હિન્દીમાં સંબોધનની શુરૂઆત કરી હતી.

આજે હું મારા પાંચ વર્ષનો હિસાબ આપવા આવ્યો છું. તમારા દીકરાએ જે સરકારી ચલાવી તે જોઈને તમને ગર્વ થાય છે કે? તમારા પુત્ર પર પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારનો એક પર દાગ લોગ્યો નથી.

મોદી આતંકવાદને હટાવવા માગે છે. કાંગ્રેસ મોદીને હટાવા માંગે છે. અમારો ટ્રેક રેકોર્ડ જોશો તો ખબર પડશે, ભ્રષ્ટાચાર, આંતકવાદ દૂર કરવો અમારો મંત્ર છે. આ અમારો ટ્રેપ રેકોર્ડ છે, કોંગ્રેસનો ટેપ રેકોર્ડ સાંભળશો તો એક જ ગીત વાગે છે, મોદી હટાવો, મોદી હટાવો, મોદી હટાવો.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, આજે દેશમાંથી બોરીની  બોરી ભરીને કોંગ્રેસીઓં પાસેથી પૈસા મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં સરકાર બને છ મહિના પણ નથી થયા, કોંગ્રેસ કર્ણાટકને પહેલા એટીએમ બનાવ્યું હતું હવે મધ્યપ્રદેશ પણ કોંગ્રેસ માટે એટીએમ છે. કદાચ રાજસ્થાન અને છત્તીસગઢનો હાલ પણ જૂદો નથી. કોંગ્રેસની વાર્તા એક પરિવારની દિકરા અને પિતાની છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કોંગ્રેસ ગર્ભવતી મહિલાઓના પૈસા લૂંટે છે. મોદીએ કહ્યું કે, જૂનાગઢને ખબર છે કે,  કોંગ્રેસે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો છે. કોંગ્રેસે સરદારને ભૂલાવી દીધા છે. કદાચ જો સરદાર પટેલ ના હોત તો આજે જૂનાગઢની શું સ્થિતિ હોત તે જનતાને ખબર છે. આજે હું જૂનાગઢની ધરતી પર આવ્યો છું એટલે સાચા દિલથી સરદાર સાહેબને શુભેચ્છા આપવાનું મન થાય છે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇકની વાત કરી હતી. તેમને જનતાને પૂછ્યું કે, જવાનોના આ સાહસના કારણે કોંગ્રેસને પેટમાં દુખે છે. મારે આજે જનતાને પુછવું છે કે, મારે સર્જિકલ સ્ટ્રાઇલ કરવી જોઇતી હતી કે નહીં, મારે એરસ્ટ્રાઇક કરવી જોઇતી હતી કે નહીં, તેમ વાત કરીને કોંગ્રેસ પર નિશાન સાંધ્યું હતું.

તેમને કહ્યું કે, કોંગ્રેસ જવાનોએ કરેલા સાહસના સબૂતો માંગે છે. મારે તમને પુછવું છે કે, આપણા જવાનો જીવ હથેળીમાં લઇને જાય છે. પરંતુ કોંગ્રેસને જવાનોના સાહસ પર નહીં, સબૂતો પર વિશ્વાસ રાખે છે.

પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે થોડા સમય પહેલા ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે, પરંતુ હું તો તેને ધગોસલા પત્ર કહું છું. આ દેશને જેમને લૂંટ્યો છે. તેની પાઇ પાઇ પાછી લાવવા હું બંધાયેલો છું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આજે 10 વાગે તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચીને તેઓ હેલીકોપ્ટર મારફતે જૂનાગઢ પહોચ્યા હતા. ત્યા તેમણે વિશાળ જનમેદનીને સંબોધી હતી. તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, મને આજે અહી આવવાનું સોભાગ્ય મળ્યું છે. જેના બાદ તેમણે હિન્દીમાં સંબોધનની શુરૂઆત કરી હતી.

આજે હું મારા પાંચ વર્ષનો હિસાબ આપવા આવ્યો છું. તમારા દીકરાએ જે સરકારી ચલાવી તે જોઈને તમને ગર્વ થાય છે કે? તમારા પુત્ર પર પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારનો એક પર દાગ લોગ્યો નથી.

મોદી આતંકવાદને હટાવવા માગે છે. કાંગ્રેસ મોદીને હટાવા માંગે છે. અમારો ટ્રેક રેકોર્ડ જોશો તો ખબર પડશે, ભ્રષ્ટાચાર, આંતકવાદ દૂર કરવો અમારો મંત્ર છે. આ અમારો ટ્રેપ રેકોર્ડ છે, કોંગ્રેસનો ટેપ રેકોર્ડ સાંભળશો તો એક જ ગીત વાગે છે, મોદી હટાવો, મોદી હટાવો, મોદી હટાવો.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, આજે દેશમાંથી બોરીની  બોરી ભરીને કોંગ્રેસીઓં પાસેથી પૈસા મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં સરકાર બને છ મહિના પણ નથી થયા, કોંગ્રેસ કર્ણાટકને પહેલા એટીએમ બનાવ્યું હતું હવે મધ્યપ્રદેશ પણ કોંગ્રેસ માટે એટીએમ છે. કદાચ રાજસ્થાન અને છત્તીસગઢનો હાલ પણ જૂદો નથી. કોંગ્રેસની વાર્તા એક પરિવારની દિકરા અને પિતાની છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કોંગ્રેસ ગર્ભવતી મહિલાઓના પૈસા લૂંટે છે. મોદીએ કહ્યું કે, જૂનાગઢને ખબર છે કે,  કોંગ્રેસે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો છે. કોંગ્રેસે સરદારને ભૂલાવી દીધા છે. કદાચ જો સરદાર પટેલ ના હોત તો આજે જૂનાગઢની શું સ્થિતિ હોત તે જનતાને ખબર છે. આજે હું જૂનાગઢની ધરતી પર આવ્યો છું એટલે સાચા દિલથી સરદાર સાહેબને શુભેચ્છા આપવાનું મન થાય છે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇકની વાત કરી હતી. તેમને જનતાને પૂછ્યું કે, જવાનોના આ સાહસના કારણે કોંગ્રેસને પેટમાં દુખે છે. મારે આજે જનતાને પુછવું છે કે, મારે સર્જિકલ સ્ટ્રાઇલ કરવી જોઇતી હતી કે નહીં, મારે એરસ્ટ્રાઇક કરવી જોઇતી હતી કે નહીં, તેમ વાત કરીને કોંગ્રેસ પર નિશાન સાંધ્યું હતું.

તેમને કહ્યું કે, કોંગ્રેસ જવાનોએ કરેલા સાહસના સબૂતો માંગે છે. મારે તમને પુછવું છે કે, આપણા જવાનો જીવ હથેળીમાં લઇને જાય છે. પરંતુ કોંગ્રેસને જવાનોના સાહસ પર નહીં, સબૂતો પર વિશ્વાસ રાખે છે.

પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે થોડા સમય પહેલા ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે, પરંતુ હું તો તેને ધગોસલા પત્ર કહું છું. આ દેશને જેમને લૂંટ્યો છે. તેની પાઇ પાઇ પાછી લાવવા હું બંધાયેલો છું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ