છત્તીસગઢના બસ્તર વિભાગના બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં દળો અને નક્સલીઓ વચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં વધુ એક નક્સલી ઠાર મરાયો છે. સતત બીજા દિવસે વધુ એક વોન્ટેડ નક્સલી નેતા મેલારાપુ અડેલુ ઉર્ફે ભાસ્કરને દળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. તે તેલંગાણા રાજ્ય નક્સલી સમિતિનો પ્રભારી હતો. ઘટનાસ્થળેથી એક AK-47 રાઈફલ મળી આવી છે. તેના માથે 45 લાખ રૂપિયાનું ઈનામ હતું. ગુરુવારે, આ જ વિસ્તારમાં, સૈનિકોએ નક્સલી નેતા સુધરકરને ઠાર માર્યો હતો, જેના માથા પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું.