આવતી કાલથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકારને વિવિધ મુદ્દે ભીંસમાં લેવા માટે વિરોધપક્ષે રણનીતિ ઘડી કાઢી છે. ખાસ કરીને LRD ભરતી પ્રક્રિયાના વિવાદ અને અનામતના પરીપત્રના મુદ્દે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા વિવિધ સમાજના આંદોલનોને લક્ષમાં રાખીને વિપક્ષ વિધાનસભામાં આક્રમક મુડ અપનાવે તેવી શક્યતાઓ છે.
માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવાજનો નોકરી, વળતર સહિતની 14 માગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા હતા. શાહીબાગ ખાતેના શહીદ સ્મારક ખાતે મોટી સંખ્યામાં સૈનિકોના પરિવારજનો ધરણા પર બેઠાં હતા અને ત્યારબાદ વિવિધ માંગો પૂર્ણ કરવા માટે ગાંધીનગર કૂચ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દો પણ વિધાનસભામાં ગુંજી શકે છે.
આવતી કાલથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકારને વિવિધ મુદ્દે ભીંસમાં લેવા માટે વિરોધપક્ષે રણનીતિ ઘડી કાઢી છે. ખાસ કરીને LRD ભરતી પ્રક્રિયાના વિવાદ અને અનામતના પરીપત્રના મુદ્દે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા વિવિધ સમાજના આંદોલનોને લક્ષમાં રાખીને વિપક્ષ વિધાનસભામાં આક્રમક મુડ અપનાવે તેવી શક્યતાઓ છે.
માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવાજનો નોકરી, વળતર સહિતની 14 માગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા હતા. શાહીબાગ ખાતેના શહીદ સ્મારક ખાતે મોટી સંખ્યામાં સૈનિકોના પરિવારજનો ધરણા પર બેઠાં હતા અને ત્યારબાદ વિવિધ માંગો પૂર્ણ કરવા માટે ગાંધીનગર કૂચ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દો પણ વિધાનસભામાં ગુંજી શકે છે.