ગોંડલ-રીબડાના જૂથો અને પાટીદાર નેતાઓ વચ્ચે છાશવારે સંઘર્ષો ચાલ્યા કરતા હોય છે અને હવે ખુદ ભાજપ સમર્થિત હિન્દુ સંસ્થાઓ પણ પૂર્વ ધારાસભ્યના પ્રેસરમાં આવી ગયાની ગંભીર ઘટના બહાર આવી છે. ગોંડલના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ પિયુષ લાલજીભાઈ રાદડીયાએ જયરાજસિંહની હેરાનગતિ, સતત કરાતા દબાણથી ત્રાસીને VHPમાંથી રાજીનામું આપી દીધું છે.