ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ(એસ.ટી.)ના કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવેથી કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.