Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપે ગુજરાત લોકસભા ચૂંટણી માટે આજે વધુ 4 નામો જાહેર કર્યા છે. જેમાં આણંદ બેઠક માટે સીટીંગ સાંસદ દિલીપ પટેલ ફરી ટિકિટ માટે અમાન્ય અને પક્ષની રીતે વીનીંગ કેન્ડીડેટ નહીં હોવાથી પડતા મૂકાયા છે. એ જ રીતે રામસિંહ રાઠવા પણ છોટા ઉદેપુર બેઠક ફરી જીતવા માટે છોટા પડતાં તેમના સ્થાને ભાજપે ગીતા રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. જૂનાગઢ માટે રહી રહીને ફરીથી રાજેશ ચુડાસમાને પસંદ કર્યા છે. તો ઠાકોર સમાજની ગણાતી પાટણ બેઠક માટે સીટીંગ સાંસદ લીલીધર વાઘેલાને અડવાણીની જેમ નિવૃત જાહેર કરીને ફરી પસંદ કર્યા નથી. વાઘેલાએ પોતાના પુત્રને ટિકિટ આપવાના ધમપછાડા કર્યા હતા. પણ મૂળ આયાતી એવા વાઘેલાનું રાજકારણ હવે પુરૂ થઇ ગયું છે. પાટણ માટે ખેરાળુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને પસંદ કર્યા છે. આમ 4માંથી 3 પડતા મૂકાયા છે. તો વિધાનસભાની તાલાળા બેઠક માટે જુના જોગી સમાન જશાભાઇ બારડને ટિકિટ આપી છે. આ બેઠક પર પેટા ચૂંટણી નહીં યોજવા કોંગ્રેસના ભગવાનભાઇ બારડે સુપ્રિમ કોર્ટમાં ધા નાંખી છે. આ બેઠક પર ભગવાનભાઇ 2017માં જીત્યા હતા. તેમની સામેના 1995ના એક કેસમાં 2 વર્ષ કરતાં વધુ સજા થતાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા તેમને ગેરલાયક ઠેરવીને બેઠક ખાલી પડેલી જાહેર કરી હતી. જેની સામે ભગવાનભાઇએ હાઇકોર્ટમાં દાદ માંગી પણ તેઓ હારી ગયા હતા.

  • ભાજપે ગુજરાત લોકસભા ચૂંટણી માટે આજે વધુ 4 નામો જાહેર કર્યા છે. જેમાં આણંદ બેઠક માટે સીટીંગ સાંસદ દિલીપ પટેલ ફરી ટિકિટ માટે અમાન્ય અને પક્ષની રીતે વીનીંગ કેન્ડીડેટ નહીં હોવાથી પડતા મૂકાયા છે. એ જ રીતે રામસિંહ રાઠવા પણ છોટા ઉદેપુર બેઠક ફરી જીતવા માટે છોટા પડતાં તેમના સ્થાને ભાજપે ગીતા રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. જૂનાગઢ માટે રહી રહીને ફરીથી રાજેશ ચુડાસમાને પસંદ કર્યા છે. તો ઠાકોર સમાજની ગણાતી પાટણ બેઠક માટે સીટીંગ સાંસદ લીલીધર વાઘેલાને અડવાણીની જેમ નિવૃત જાહેર કરીને ફરી પસંદ કર્યા નથી. વાઘેલાએ પોતાના પુત્રને ટિકિટ આપવાના ધમપછાડા કર્યા હતા. પણ મૂળ આયાતી એવા વાઘેલાનું રાજકારણ હવે પુરૂ થઇ ગયું છે. પાટણ માટે ખેરાળુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને પસંદ કર્યા છે. આમ 4માંથી 3 પડતા મૂકાયા છે. તો વિધાનસભાની તાલાળા બેઠક માટે જુના જોગી સમાન જશાભાઇ બારડને ટિકિટ આપી છે. આ બેઠક પર પેટા ચૂંટણી નહીં યોજવા કોંગ્રેસના ભગવાનભાઇ બારડે સુપ્રિમ કોર્ટમાં ધા નાંખી છે. આ બેઠક પર ભગવાનભાઇ 2017માં જીત્યા હતા. તેમની સામેના 1995ના એક કેસમાં 2 વર્ષ કરતાં વધુ સજા થતાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા તેમને ગેરલાયક ઠેરવીને બેઠક ખાલી પડેલી જાહેર કરી હતી. જેની સામે ભગવાનભાઇએ હાઇકોર્ટમાં દાદ માંગી પણ તેઓ હારી ગયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ