કરતારપુર કોરિડોરને લઇ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલાં ઘમાસણની વચ્ચે નવી દિલ્હી એ પાકિસ્તાનને જબરદસ્ત ઝાટકો આપી દીધો છે. મોદી સરકારે પાકિસ્તાનના સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે મોકલેલા નિમંત્રણને ઠુકરાવી દીધું છે. મંગળવારના રોજ પાકિસ્તાન વિદેશ મંત્રાલયે સંમેલનમાં ભારતને ભાગ લેવા માટે નિમંત્રણ મોકલવાની વાત કહી હતી.
પાકિસ્તાન મીડિયાએ ત્યાંના વિદેશ મંત્રાલયના પ્રવકતા ડૉકટર મોહમ્મદ ફૈસલના હવાલે જાહેરાત કરી હતી કે પાકિસ્તાનની તરફથી વડાપ્રધાન મોદીના સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલાશે. 2016ની સાલમાં ઉરી હુમલા બાદ પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સંમેલનનો ભારત સહિત તમામ દેશો એ બૉયકૉટ કરી દીધો હતો. એવામાં આ સંમેલનને સફળતાપૂર્વક કરાવા માટે પાકિસ્તાન કોઇ કસર છોડવા માંગતું નથી.
કરતારપુર કોરિડોરને લઇ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલાં ઘમાસણની વચ્ચે નવી દિલ્હી એ પાકિસ્તાનને જબરદસ્ત ઝાટકો આપી દીધો છે. મોદી સરકારે પાકિસ્તાનના સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે મોકલેલા નિમંત્રણને ઠુકરાવી દીધું છે. મંગળવારના રોજ પાકિસ્તાન વિદેશ મંત્રાલયે સંમેલનમાં ભારતને ભાગ લેવા માટે નિમંત્રણ મોકલવાની વાત કહી હતી.
પાકિસ્તાન મીડિયાએ ત્યાંના વિદેશ મંત્રાલયના પ્રવકતા ડૉકટર મોહમ્મદ ફૈસલના હવાલે જાહેરાત કરી હતી કે પાકિસ્તાનની તરફથી વડાપ્રધાન મોદીના સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલાશે. 2016ની સાલમાં ઉરી હુમલા બાદ પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સંમેલનનો ભારત સહિત તમામ દેશો એ બૉયકૉટ કરી દીધો હતો. એવામાં આ સંમેલનને સફળતાપૂર્વક કરાવા માટે પાકિસ્તાન કોઇ કસર છોડવા માંગતું નથી.