લોકસભાની ચૂંટણીનાં પડઘમ વચ્ચે અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. રામમંદિરનાં નિર્માણ માટે જનતાનું સમર્થન મેળવવા સંઘ દ્વારા શનિવારથી દેશવ્યાપી સંકલ્પ રથયાત્રાનો દિલ્હીથી પ્રારંભ થઈ રહ્યો છે. આરએસએસની સંકલ્પ રથયાત્રા ૧ ડિસેમ્બરથી ૯ ડિસેમ્બર સુધી દેશભરમાં ભ્રમણ કરશે. સંઘની રથયાત્રાનો પ્રારંભ દિલ્હીથી થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રામમંદિરનિર્માણ મુદ્દા પર વિશ્વ હિંદુ પરિષદ અને સંતસમાજ પહેલેથી આંદોલન શરૂ કરી ચૂક્યાં છે.
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વચ્ચે અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. રામમંદિરનાં નિર્માણ માટે જનતાનું સમર્થન મેળવવા સંઘ દ્વારા શનિવારથી દેશવ્યાપી સંકલ્પ રથયાત્રાનો દિલ્હીથી પ્રારંભ થઈ રહ્યો છે. આરએસએસની સંકલ્પ રથયાત્રા ૧ ડિસેમ્બરથી ૯ ડિસેમ્બર સુધી દેશભરમાં ભ્રમણ કરશે. સંઘની રથયાત્રાનો પ્રારંભ દિલ્હીથી થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રામમંદિરનિર્માણ મુદ્દા પર વિશ્વ હિંદુ પરિષદ અને સંતસમાજ પહેલેથી આંદોલન શરૂ કરી ચૂક્યાં છે.