દેશમાં ૧૩૦ કરોડ લોકોની વસતી હોવા છતાં આવકવેરો ભરનારા કરદાતાઓની સંખ્યા માત્ર ૭થી ૮ કરોડ જેટલી છે અને તેથી ઘણા લોકો એવું માને છે કે વિદેશની ટૂરના કે મોંઘી ચીજવસ્તુઓની ખરીદી કરીને એના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂકનારા લોકો પર આવકવેરા ખાતાના અધિકારીઓની નજર રહે છે. જોકે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચેરમેન પી. સી. મોદી કહે છે કે આ લોકોની ગેરસમજ છે. અમારે આવી પોસ્ટ જોવાનો વારો આવતો નથી કારણ કે અમને થર્ડ પાર્ટીઓ પાસેથી મોંઘા ખર્ચ કરનારા લોકોની જાણકારી મળી રહે છે. આ સિવાય અમે પ્રોજેક્ટ ઇનસાઇટ સિસ્ટમ શરૂ કરી છે જે અમને ઘણી જાણકારી આપે છે.
દેશમાં ૧૩૦ કરોડ લોકોની વસતી હોવા છતાં આવકવેરો ભરનારા કરદાતાઓની સંખ્યા માત્ર ૭થી ૮ કરોડ જેટલી છે અને તેથી ઘણા લોકો એવું માને છે કે વિદેશની ટૂરના કે મોંઘી ચીજવસ્તુઓની ખરીદી કરીને એના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂકનારા લોકો પર આવકવેરા ખાતાના અધિકારીઓની નજર રહે છે. જોકે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચેરમેન પી. સી. મોદી કહે છે કે આ લોકોની ગેરસમજ છે. અમારે આવી પોસ્ટ જોવાનો વારો આવતો નથી કારણ કે અમને થર્ડ પાર્ટીઓ પાસેથી મોંઘા ખર્ચ કરનારા લોકોની જાણકારી મળી રહે છે. આ સિવાય અમે પ્રોજેક્ટ ઇનસાઇટ સિસ્ટમ શરૂ કરી છે જે અમને ઘણી જાણકારી આપે છે.