જગત પ્રકાશ નડ્ડાની સોમવારે ભાજપના પૂર્ણકાલીન પ્રમુખપદે નિયુક્તિ કરવામાં આવી હતી. સંગઠનમાં માહિર અને ભાજપનાં અદના કાર્યકર જે પી નડ્ડાએ પાર્ટીનાં ૧૧મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ ૩ વર્ષ એટલે કે ૨૦૨૨ સુધી પ્રમુખપદની જવાબદારી સંભાળશે. પાર્ટીનાં સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહે નડ્ડા બિનહરીફ ચૂંટાયા હોવાની જાહેરાત કરી હતી. પાર્ટી અધ્યક્ષપદે તેમણે અમિત શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો. પીએમ મોદી અને વિદાય લઈ રહેલા પ્રમુખ અમિત શાહ તેમજ અન્ય નેતાઓ અને કાર્યકરોએ નડ્ડાને આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા.
જગત પ્રકાશ નડ્ડાની સોમવારે ભાજપના પૂર્ણકાલીન પ્રમુખપદે નિયુક્તિ કરવામાં આવી હતી. સંગઠનમાં માહિર અને ભાજપનાં અદના કાર્યકર જે પી નડ્ડાએ પાર્ટીનાં ૧૧મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ ૩ વર્ષ એટલે કે ૨૦૨૨ સુધી પ્રમુખપદની જવાબદારી સંભાળશે. પાર્ટીનાં સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહે નડ્ડા બિનહરીફ ચૂંટાયા હોવાની જાહેરાત કરી હતી. પાર્ટી અધ્યક્ષપદે તેમણે અમિત શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો. પીએમ મોદી અને વિદાય લઈ રહેલા પ્રમુખ અમિત શાહ તેમજ અન્ય નેતાઓ અને કાર્યકરોએ નડ્ડાને આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા.