જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરવાના પોતાના નિર્ણય પર કરેલી સ્પષ્ટતાના કારણે વિવાદ સર્જાયો હતો. મલિકે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સજ્જાદ લોનને મુખ્યમંત્રી બનાવવા માગતી હતી. જો મે સજ્જાદ લોનને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હોત તો તે અપ્રામાણિકતા ગણાતી. આ કથિત નિવેદન પર વિવાદ સર્જાયા બાદ મલિકે જણાવ્યું હતું કે, મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે. મેં આવી કોઈ વાત કરી નથી.
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરવાના પોતાના નિર્ણય પર કરેલી સ્પષ્ટતાના કારણે વિવાદ સર્જાયો હતો. મલિકે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સજ્જાદ લોનને મુખ્યમંત્રી બનાવવા માગતી હતી. જો મે સજ્જાદ લોનને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હોત તો તે અપ્રામાણિકતા ગણાતી. આ કથિત નિવેદન પર વિવાદ સર્જાયા બાદ મલિકે જણાવ્યું હતું કે, મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે. મેં આવી કોઈ વાત કરી નથી.