Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટક વિધાનસભામાં સરકાર દ્વારા વિશ્વાસનો મત મેળવવા માટે શુક્રવારે કામગીરી હાથ ધરાઈ હતી પણ વોટિંગ થયું નહોતું. તેના કારણે મોટો રાજકીય વિવાદ સર્જાયો હતો. રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી કુમારસ્વામી અને વિધાનસભાના સ્પીકરને જણાવ્યું હતું કે તેઓ બપોરે ૧:૩૦ કલાકે સરકારનો ફ્લોર ટેસ્ટ કરાવે. બંને દ્વારા રાજ્યપાલના પત્ર દ્વારા અપાયેલા આદેશની અવગણના કરવામાં આવી હતી. તેમણે કોઈ ફ્લોર ટેસ્ટ કર્યો નહીં. આથી નારાજ રાજ્યપાલે બીજો પત્ર લખીને સાંજે છ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાની ડેડલાઈન આપી હતી. કુમારસ્વામીએ આ ડેડલાઈન પણ જવા દીધી. તેમણે બે વખત રાજ્યપાલના આદેશોની અવગણના કરી હતી. વિધાનસભામાં કુમારસ્વામીએ એવું જણાવ્યું કે, મને રાજ્યપાલ પ્રત્યે માન છે પણ તેમણે બીજો પ્રેમપત્ર મોકલ્યો તેના કારણે મારી લાગણીઓ ઘવાઈ છે. બીજી તરફ કુમારસ્વામી રાજ્યપાલ દ્વારા અપાયેલા ફ્લોરટેસ્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

કર્ણાટક વિધાનસભામાં સરકાર દ્વારા વિશ્વાસનો મત મેળવવા માટે શુક્રવારે કામગીરી હાથ ધરાઈ હતી પણ વોટિંગ થયું નહોતું. તેના કારણે મોટો રાજકીય વિવાદ સર્જાયો હતો. રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી કુમારસ્વામી અને વિધાનસભાના સ્પીકરને જણાવ્યું હતું કે તેઓ બપોરે ૧:૩૦ કલાકે સરકારનો ફ્લોર ટેસ્ટ કરાવે. બંને દ્વારા રાજ્યપાલના પત્ર દ્વારા અપાયેલા આદેશની અવગણના કરવામાં આવી હતી. તેમણે કોઈ ફ્લોર ટેસ્ટ કર્યો નહીં. આથી નારાજ રાજ્યપાલે બીજો પત્ર લખીને સાંજે છ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાની ડેડલાઈન આપી હતી. કુમારસ્વામીએ આ ડેડલાઈન પણ જવા દીધી. તેમણે બે વખત રાજ્યપાલના આદેશોની અવગણના કરી હતી. વિધાનસભામાં કુમારસ્વામીએ એવું જણાવ્યું કે, મને રાજ્યપાલ પ્રત્યે માન છે પણ તેમણે બીજો પ્રેમપત્ર મોકલ્યો તેના કારણે મારી લાગણીઓ ઘવાઈ છે. બીજી તરફ કુમારસ્વામી રાજ્યપાલ દ્વારા અપાયેલા ફ્લોરટેસ્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ