2014માં ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ગુજરાતની વડોદરા બેઠકથી ઉમેદવારી નોંધાવવાની સાથે યુપીની વારાણસી બેઠક પર પણ ગંગાપુત્ર બનીને ગયા હતા. અને બન્ને બેઠક પરથી જીત્યા હતા. આ વખતે 2019માં હવે કોંગ્રકેસના રાહુલ ગાંધીએ વારો કાઢ્યો હોય તેમ પરંપરાગત અમેઠી બેઠક ઉપરાંત અમેઠીથી 2093 કિ.મી. દૂર કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ અંગેની અટકળો ચાવતી હતી અને કોંગ્રેસ દ્વારા એવો ઇશારો પણ કરાયો હતો. છેવટે આજે તેની જાહેરાત કરી છે. કોંગ્રેસ છેલ્લા બે ટર્મથી આ બેઠક જીતે છે. એટલે કે રાહુલ માટે આ બેઠક સલામત કહી શકાય. ભાજપે અમેઠીમાં રાહુલની સામે સ્મૃતિ ઇરાનીને ઉભા રાખ્યા છે. વાયનાડમાં પણ ઇરાની જ ઉભા રહેશે કે ત્યાંથી કોઇને ભાજપ પસંદ કરશે તેપણ રસપ્રદ રહેશે.
2014માં ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ગુજરાતની વડોદરા બેઠકથી ઉમેદવારી નોંધાવવાની સાથે યુપીની વારાણસી બેઠક પર પણ ગંગાપુત્ર બનીને ગયા હતા. અને બન્ને બેઠક પરથી જીત્યા હતા. આ વખતે 2019માં હવે કોંગ્રકેસના રાહુલ ગાંધીએ વારો કાઢ્યો હોય તેમ પરંપરાગત અમેઠી બેઠક ઉપરાંત અમેઠીથી 2093 કિ.મી. દૂર કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ અંગેની અટકળો ચાવતી હતી અને કોંગ્રેસ દ્વારા એવો ઇશારો પણ કરાયો હતો. છેવટે આજે તેની જાહેરાત કરી છે. કોંગ્રેસ છેલ્લા બે ટર્મથી આ બેઠક જીતે છે. એટલે કે રાહુલ માટે આ બેઠક સલામત કહી શકાય. ભાજપે અમેઠીમાં રાહુલની સામે સ્મૃતિ ઇરાનીને ઉભા રાખ્યા છે. વાયનાડમાં પણ ઇરાની જ ઉભા રહેશે કે ત્યાંથી કોઇને ભાજપ પસંદ કરશે તેપણ રસપ્રદ રહેશે.