મહારાષ્ટ્ર વિધાનસભાએ ગુરુવારે સામાજિક અને આર્થિક પછાત(SEBC) અંતર્ગત મરાઠાઓેને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં ૧૬ ટકા અનામતની જોગવાઈ કરતો ખરડો સર્વસંમતિથી પસાર કર્યો હતો. ગુરુવારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ખરડો રજૂ કર્યો હતો. મહારાષ્ટ્ર પછાતવર્ગ પંચની ભલામણોના આધારે રજૂ કરાયેલો આ ખરડો વિધાનસભામાં ધ્વનિમતથી સર્વસંમતિથી પસાર થઈ ગયો હતો, ત્યારબાદ રાજ્યની વિધાન પરિષદે પણ ખરડા પર મહોર મારી દીધી હતી. વિધાનસભામાં ખરડો રજૂ કરતાં સીએમ ફડણવીસે જણાવ્યું હતું કે, અમે મરાઠા અનામતની પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને આજે ખરડો રજૂ કરી રહ્યા છીએ. આ અગાઉ દેવેન્દ્ર ફડણવીસે સરકારી નોકરીઓ અને શિક્ષણસંસ્થાનોમાં મરાઠા સમુદાયને અનામત આપવાની રાજ્ય પછાતવર્ગ પંચની ભલામણો પરનો એક્શન ટેકન રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યો હતો. તેમણે મરાઠા સમુદાયની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિ પરનો પછાતવર્ગ પંચનો રિપોર્ટ પણ વિધાનસભામાં રજૂ કર્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાએ ગુરુવારે સામાજિક અને આર્થિક પછાત(SEBC) અંતર્ગત મરાઠાઓેને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં ૧૬ ટકા અનામતની જોગવાઈ કરતો ખરડો સર્વસંમતિથી પસાર કર્યો હતો. ગુરુવારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ખરડો રજૂ કર્યો હતો. મહારાષ્ટ્ર પછાતવર્ગ પંચની ભલામણોના આધારે રજૂ કરાયેલો આ ખરડો વિધાનસભામાં ધ્વનિમતથી સર્વસંમતિથી પસાર થઈ ગયો હતો, ત્યારબાદ રાજ્યની વિધાન પરિષદે પણ ખરડા પર મહોર મારી દીધી હતી. વિધાનસભામાં ખરડો રજૂ કરતાં સીએમ ફડણવીસે જણાવ્યું હતું કે, અમે મરાઠા અનામતની પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને આજે ખરડો રજૂ કરી રહ્યા છીએ. આ અગાઉ દેવેન્દ્ર ફડણવીસે સરકારી નોકરીઓ અને શિક્ષણસંસ્થાનોમાં મરાઠા સમુદાયને અનામત આપવાની રાજ્ય પછાતવર્ગ પંચની ભલામણો પરનો એક્શન ટેકન રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યો હતો. તેમણે મરાઠા સમુદાયની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિ પરનો પછાતવર્ગ પંચનો રિપોર્ટ પણ વિધાનસભામાં રજૂ કર્યો હતો.