હિમાચલ પ્રદેશના સોલન સ્થિત કુમ્હારહટ્ટીમાં રવિવાર મોડી સાંજે એક બહુમાળી રેસ્ટોરાં ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં સેનાનાં 6 જવાનો સહિત સાત લોકોનાં મોત થયા છે. જે સમયે દુર્ઘટના બની તે સમયે હોટલમાં 42 લોકો હાજર હતા. હોટલમાં હાજર લોકોમાં 30 સેનાના જવાન હતા, જ્યારે 12 સામાન્ય નાગરિકો હોવાનું કહેવાય છે.
ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી પોલીસે અત્યાર સુધી 35 લોકોને બહાર કાઢ્યા છે જ્યારે 7 લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. કાટમાળમાં ફસાયેલા તમામ લોકો સેનાના જવાન હોવાનું કહેવાય છે.
મળતા અહેવાલ મુજબ, હિમાચલ પ્રદેશના કુમ્હારહટ્ટીના જે રેસ્ટોરાંમાં આ દુર્ઘટના થઈ ત્યાંથી પસાર થઈ રહેલા સેનાનાં જવાન ખાવા માટે રોકાયા હતા.
NDRFના જવાન ઘટનાસ્થળે આધુનિક મશીનરીની સાથે પહોંચી ગયા છે અને સ્નિફર ડોગ્સની સાથે કાટમાળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ, કાટમાળમાં હજુ પણ સાત લોકો ફસાયેલા છે. તે તમામ સેનાના જવાન હોવાનું કહેવાય છે.
હિમાચલ પ્રદેશના સોલન સ્થિત કુમ્હારહટ્ટીમાં રવિવાર મોડી સાંજે એક બહુમાળી રેસ્ટોરાં ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં સેનાનાં 6 જવાનો સહિત સાત લોકોનાં મોત થયા છે. જે સમયે દુર્ઘટના બની તે સમયે હોટલમાં 42 લોકો હાજર હતા. હોટલમાં હાજર લોકોમાં 30 સેનાના જવાન હતા, જ્યારે 12 સામાન્ય નાગરિકો હોવાનું કહેવાય છે.
ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી પોલીસે અત્યાર સુધી 35 લોકોને બહાર કાઢ્યા છે જ્યારે 7 લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. કાટમાળમાં ફસાયેલા તમામ લોકો સેનાના જવાન હોવાનું કહેવાય છે.
મળતા અહેવાલ મુજબ, હિમાચલ પ્રદેશના કુમ્હારહટ્ટીના જે રેસ્ટોરાંમાં આ દુર્ઘટના થઈ ત્યાંથી પસાર થઈ રહેલા સેનાનાં જવાન ખાવા માટે રોકાયા હતા.
NDRFના જવાન ઘટનાસ્થળે આધુનિક મશીનરીની સાથે પહોંચી ગયા છે અને સ્નિફર ડોગ્સની સાથે કાટમાળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ, કાટમાળમાં હજુ પણ સાત લોકો ફસાયેલા છે. તે તમામ સેનાના જવાન હોવાનું કહેવાય છે.