ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે મોતને ભેટેલા લોકો માટે રાહત ફંડની જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી છે. વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકો માટે રૂ. બે લાખની જ્યારે ઘાયલોને રૂ. 50 હજારની સહાય ચુકવવામાં આવશે. આ જાહેરાત બાદ મધ્ય પ્રદેશના CM કમલનાથે PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
કમલનાથે ટ્વીટ કરી લખ્યું કે, 'મોદી જી, તમે દેશના વડાપ્રધાન છો, ગુજરાતના નહીં. મધ્ય પ્રદેશમાં પણ કમોસમી વરસાદ, તોફાન અને વીજળી પડવાને કારણે 10થી વધારે લોકોનાં મોત નીપજ્યા છે. તો તમારી સંવેદના ફક્ત ગુજરાત પૂરતી સીમિત કેમ? ભલે જ અહીં તમારા પક્ષનું શાસન ન હોય પરંતુ લોકો તો અહીં પણ રહે છે'.
જણાવી દઈએ કે, ગુજરાતમાં સહાયની જાહેરાતના એક કલાક બાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય માટે સહાયની જાહેરાત કરી છે.
ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે મોતને ભેટેલા લોકો માટે રાહત ફંડની જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી છે. વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકો માટે રૂ. બે લાખની જ્યારે ઘાયલોને રૂ. 50 હજારની સહાય ચુકવવામાં આવશે. આ જાહેરાત બાદ મધ્ય પ્રદેશના CM કમલનાથે PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
કમલનાથે ટ્વીટ કરી લખ્યું કે, 'મોદી જી, તમે દેશના વડાપ્રધાન છો, ગુજરાતના નહીં. મધ્ય પ્રદેશમાં પણ કમોસમી વરસાદ, તોફાન અને વીજળી પડવાને કારણે 10થી વધારે લોકોનાં મોત નીપજ્યા છે. તો તમારી સંવેદના ફક્ત ગુજરાત પૂરતી સીમિત કેમ? ભલે જ અહીં તમારા પક્ષનું શાસન ન હોય પરંતુ લોકો તો અહીં પણ રહે છે'.
જણાવી દઈએ કે, ગુજરાતમાં સહાયની જાહેરાતના એક કલાક બાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય માટે સહાયની જાહેરાત કરી છે.