-
2014માં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે પોતાની વારાણસી બેઠક ખાલી કરનારપક્ષના સિનિયર નેતા મુરલી મનોહર જોષીને પણ અન્ય સિનિયર નેતા એલ.કે. અડવાણીની જેમ આ વખતે ફરીથી ટિકિટ આપવામાં આવી નથી. એટલું જ નહીં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ અડવાણી-જોષીના નામો ગુમ છે. માર્ગદર્શક મંડળના બન્ને નેતાઓને જાણે કહી દેવામાં આવ્યું છે કે આરામ કરો. જોષીએ પણ અડવાણીની જેમ ચૂંટણીલક્ષી એકતા યાત્રા યોજી હતી. અડવાણીએ રામરથયાત્રા યોજી હતી. બન્નેની યાત્રાના સંયોજક યોગાનુયોગ નરેન્દ્ર મોદી જ હતા. સમયની બલિહારી કે બન્ને સિનિયર નેતાઓ સક્રિય રાજકારણમાંથી દૂર થઇ ગયા છે.
-
2014માં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે પોતાની વારાણસી બેઠક ખાલી કરનારપક્ષના સિનિયર નેતા મુરલી મનોહર જોષીને પણ અન્ય સિનિયર નેતા એલ.કે. અડવાણીની જેમ આ વખતે ફરીથી ટિકિટ આપવામાં આવી નથી. એટલું જ નહીં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ અડવાણી-જોષીના નામો ગુમ છે. માર્ગદર્શક મંડળના બન્ને નેતાઓને જાણે કહી દેવામાં આવ્યું છે કે આરામ કરો. જોષીએ પણ અડવાણીની જેમ ચૂંટણીલક્ષી એકતા યાત્રા યોજી હતી. અડવાણીએ રામરથયાત્રા યોજી હતી. બન્નેની યાત્રાના સંયોજક યોગાનુયોગ નરેન્દ્ર મોદી જ હતા. સમયની બલિહારી કે બન્ને સિનિયર નેતાઓ સક્રિય રાજકારણમાંથી દૂર થઇ ગયા છે.