Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • યુપીના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાઇ ગયો. 25 વર્ષ પછી સપા અને બસપા લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા એક મંચ પર આવ્યાં. સપાના અખિલેશ યાદવ અને બસપાના માયાવતી ઉપરાંત આરએલડીના અજીતસિંહ પણ એક મંચ પર દેખાયા. અને ભાજપની સાથે કોંગ્રેસની પણ ભારે ટીકા ટીપ્પણી કરી હતી. ગઇ ચૂંટણીમાં સપા અને બસપાના વહેંચાયેલા મતોથી ભાજપને યુપીમાં ફાયદો થયો હતો. આ વખતે મતોનેં વહેંચતા રોકવા માટે 25 વર્ષ પછી સપા અને બસપાએ હાથ મિલાવ્યાં છે. ભાજપે જો કે આ ગઠબંધનને મહામિલાવટી ગણાવ્યું છે. પરંતુ જાણકારોના મતે યુપીમાં ભાજપને આ વખતે 80માંથી ફરી 71 બેઠકો જીતવામાં ગઠબંધન આંખે પાણી લાવી દે તેમ છે. આ ગઠબંધનમાં પૂર્વ વડાપ્રધાન ચૌ. ચરણસિંહના પુત્ર અને પૂર્વ મંત્રી અજીતસિંહ પણ જોડાયા છે. ગઠબંધનમાં તેમને અમુક બેઠકો ફાળવવામાં આવી છે. માયાવતી અને યાદવે મક્કમતા સાથે કહ્યું કે અમારુ ગઠબંધન દેશને નવા વડાપ્રધાન આપવા જઇ રહ્યું છે..! યુપીના દેવબંદમાં આજે મહારેલીમાં આ જાહેરાત થઇ હતી. માયાવતીએ વડાપ્રધાન મોદીને મ્હેણું   પણ માર્યુ કે આજની આ જાહેરસભામાં ઉમટેલો માનવ મહેરામણ જોઇને મોદી લાય લાય થઇ ગયા હશે.( માયાવતીએ હિન્દીમાં મોદી પગલા ગયે હોંગે...એવો શબ્દપ્રયોગ કર્યો હતો)

  • યુપીના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાઇ ગયો. 25 વર્ષ પછી સપા અને બસપા લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા એક મંચ પર આવ્યાં. સપાના અખિલેશ યાદવ અને બસપાના માયાવતી ઉપરાંત આરએલડીના અજીતસિંહ પણ એક મંચ પર દેખાયા. અને ભાજપની સાથે કોંગ્રેસની પણ ભારે ટીકા ટીપ્પણી કરી હતી. ગઇ ચૂંટણીમાં સપા અને બસપાના વહેંચાયેલા મતોથી ભાજપને યુપીમાં ફાયદો થયો હતો. આ વખતે મતોનેં વહેંચતા રોકવા માટે 25 વર્ષ પછી સપા અને બસપાએ હાથ મિલાવ્યાં છે. ભાજપે જો કે આ ગઠબંધનને મહામિલાવટી ગણાવ્યું છે. પરંતુ જાણકારોના મતે યુપીમાં ભાજપને આ વખતે 80માંથી ફરી 71 બેઠકો જીતવામાં ગઠબંધન આંખે પાણી લાવી દે તેમ છે. આ ગઠબંધનમાં પૂર્વ વડાપ્રધાન ચૌ. ચરણસિંહના પુત્ર અને પૂર્વ મંત્રી અજીતસિંહ પણ જોડાયા છે. ગઠબંધનમાં તેમને અમુક બેઠકો ફાળવવામાં આવી છે. માયાવતી અને યાદવે મક્કમતા સાથે કહ્યું કે અમારુ ગઠબંધન દેશને નવા વડાપ્રધાન આપવા જઇ રહ્યું છે..! યુપીના દેવબંદમાં આજે મહારેલીમાં આ જાહેરાત થઇ હતી. માયાવતીએ વડાપ્રધાન મોદીને મ્હેણું   પણ માર્યુ કે આજની આ જાહેરસભામાં ઉમટેલો માનવ મહેરામણ જોઇને મોદી લાય લાય થઇ ગયા હશે.( માયાવતીએ હિન્દીમાં મોદી પગલા ગયે હોંગે...એવો શબ્દપ્રયોગ કર્યો હતો)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ