નાગરિકતા સંશોધન કાનૂન ના સમર્થનમાં યોજાયેલી જનજાગરણ રેલીને સંબોધન કરતા મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ,સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પર તીખા પ્રહારો કર્યા હતા. લખનઉના રામકથા પાર્કમાં એક વિશાળ રેલીને સંબોધતા અમિત શાહે કહ્યુ કે, જેમને જેટલો વિરોધ કરવો હોય એટલો કરી લે, પરંતુ CAA પરત નહીં લેવામાં આવે. તેમણે વિપક્ષને પડકાર ફેંકતા કહ્યુ કે, તેઓ જણાવે કે નાગરિકતા સંશોધન કાયદામાં ક્યાં એવું લખ્યું છે કે કોઈની નાગરિકતા લઈ લેવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે ફક્ત વૉટબેંકની રાજનીતિ માટે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.
નાગરિકતા સંશોધન કાનૂન ના સમર્થનમાં યોજાયેલી જનજાગરણ રેલીને સંબોધન કરતા મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ,સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પર તીખા પ્રહારો કર્યા હતા. લખનઉના રામકથા પાર્કમાં એક વિશાળ રેલીને સંબોધતા અમિત શાહે કહ્યુ કે, જેમને જેટલો વિરોધ કરવો હોય એટલો કરી લે, પરંતુ CAA પરત નહીં લેવામાં આવે. તેમણે વિપક્ષને પડકાર ફેંકતા કહ્યુ કે, તેઓ જણાવે કે નાગરિકતા સંશોધન કાયદામાં ક્યાં એવું લખ્યું છે કે કોઈની નાગરિકતા લઈ લેવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે ફક્ત વૉટબેંકની રાજનીતિ માટે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.