સુપ્રીમ કોર્ટે મંગળવારે પક્ષાંતર કરનાર સાંસદો અને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગ કરતી અરજીઓ પર નિર્ણય લેવાની સ્પીકરની સત્તા પર પુનઃવિચારણા કરવા સંસદને નિર્દેશ આપ્યો છે. ભાજપના ધારાસભ્ય અને મણિપુરના વનમંત્રી ટીએચ શ્યામકુમારને ગેરલાયક ઠેરવવાની માગ કરતી કોંગ્રેસના નેતાની અરજી પર ચાર સપ્તાહમાં નિર્ણય કરવાનો મણિપુર વિધાનસભાના સ્પીકરને આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે ધારાસભ્યો અને સાંસદોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા માટે અલગ સ્વતંત્ર વ્યવસ્થા ગોઠવવા કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે પક્ષાંતર કરનાર સાંસદો અને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગ કરતી અરજીઓ પર નિર્ણય લેવાની સ્પીકરની સત્તા પર પુનઃવિચારણા કરવા સંસદને નિર્દેશ આપ્યો છે. ભાજપના ધારાસભ્ય અને મણિપુરના વનમંત્રી ટીએચ શ્યામકુમારને ગેરલાયક ઠેરવવાની માગ કરતી કોંગ્રેસના નેતાની અરજી પર ચાર સપ્તાહમાં નિર્ણય કરવાનો મણિપુર વિધાનસભાના સ્પીકરને આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે ધારાસભ્યો અને સાંસદોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા માટે અલગ સ્વતંત્ર વ્યવસ્થા ગોઠવવા કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે.