ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ FIR નોંધવાની માંગ કરતી અરજી હિન્દુ સેના દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા તેમજ આમ આદમી પાર્ટીના અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ હેટ સ્પીચ બદલ ફરિયાદ નોંધવા માગ કરાઈ છે. એટલું જ નહીં અરજીમાં કથિત હેટ સ્પીચની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવાની માગ પણ કરવામાં આવી છે. અરજીમાં AIMIM નેતાઓ અસદુદ્દીન ઓવૈસી, અકબરુદ્દીન ઓવૈસી તેમજ વારિસ પઠાણ દ્વારા પણ ભડકાઉ ભાષણ કરાયું હોવાનો ઉલ્લેખ છે. અરજીમાં જણાવાયું છે કે આવા લોકોએ કરેલા ભાષણને લીધે જ દિલ્હીમાં હિંસા ભડકી છે અને અનેક લોકોના મોત થયા છે.
ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ FIR નોંધવાની માંગ કરતી અરજી હિન્દુ સેના દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા તેમજ આમ આદમી પાર્ટીના અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ હેટ સ્પીચ બદલ ફરિયાદ નોંધવા માગ કરાઈ છે. એટલું જ નહીં અરજીમાં કથિત હેટ સ્પીચની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવાની માગ પણ કરવામાં આવી છે. અરજીમાં AIMIM નેતાઓ અસદુદ્દીન ઓવૈસી, અકબરુદ્દીન ઓવૈસી તેમજ વારિસ પઠાણ દ્વારા પણ ભડકાઉ ભાષણ કરાયું હોવાનો ઉલ્લેખ છે. અરજીમાં જણાવાયું છે કે આવા લોકોએ કરેલા ભાષણને લીધે જ દિલ્હીમાં હિંસા ભડકી છે અને અનેક લોકોના મોત થયા છે.