-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના લાતૂરમાં આયોજીત ચૂંટણી સભામાં પ્રથમ વાર મતદાન કરનાર યુવાનોને ધ્યાનમાં રાખીને કહ્યું કે હું પ્રથમવાર વોટ આપનારા યુવા મતદારો(18 વર્ષ પૂરા તયા હોય એવા)ને કહેવા માંગુ છું કે શું તમારો પ્રથમ વોટ પુલવામામાં શહિદ થયેલા જવાનવીરોના નામે આપી ના શકો..? શું તમારો વોટ બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરનારા વીર જવાનોના નામે આપી ના શકો..? તમે 18 વર્ષના થઇ ગયા છો અને તમારો પહેલો વોટ દેશ માટે આપવો જોઇએ. દેશને મજબૂત બનાવવા માટે આપો. સૂત્રોએ કહ્યું કે વિપક્ષો દ્વારા અગાઉ એવો ભય દર્શાવવામાં આવ્યો હતો કે મોદી અને ભાજપ પુલવામા આતંકી હુમલો અને એર સ્ટ્રાઇકના નામે વોટ માંગશે. આખરે વિપક્ષોની એ શંકા કે ભય સાચો પડ્યો હોય તેમ લાતૂરમાં ખુદ વડાપ્રધાને પુલવામા અને એર સ્ટ્રાઇકના નામે વોટ માંગીને આચારસંહિતાનો ભંગ તો કર્યો નથી..? એવો સવાલ પણ સૂત્રોએ કર્યો છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના લાતૂરમાં આયોજીત ચૂંટણી સભામાં પ્રથમ વાર મતદાન કરનાર યુવાનોને ધ્યાનમાં રાખીને કહ્યું કે હું પ્રથમવાર વોટ આપનારા યુવા મતદારો(18 વર્ષ પૂરા તયા હોય એવા)ને કહેવા માંગુ છું કે શું તમારો પ્રથમ વોટ પુલવામામાં શહિદ થયેલા જવાનવીરોના નામે આપી ના શકો..? શું તમારો વોટ બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરનારા વીર જવાનોના નામે આપી ના શકો..? તમે 18 વર્ષના થઇ ગયા છો અને તમારો પહેલો વોટ દેશ માટે આપવો જોઇએ. દેશને મજબૂત બનાવવા માટે આપો. સૂત્રોએ કહ્યું કે વિપક્ષો દ્વારા અગાઉ એવો ભય દર્શાવવામાં આવ્યો હતો કે મોદી અને ભાજપ પુલવામા આતંકી હુમલો અને એર સ્ટ્રાઇકના નામે વોટ માંગશે. આખરે વિપક્ષોની એ શંકા કે ભય સાચો પડ્યો હોય તેમ લાતૂરમાં ખુદ વડાપ્રધાને પુલવામા અને એર સ્ટ્રાઇકના નામે વોટ માંગીને આચારસંહિતાનો ભંગ તો કર્યો નથી..? એવો સવાલ પણ સૂત્રોએ કર્યો છે.