-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 23મીએ મતદાનના 48 કલાક પહેલાં ગીર સાવજની ધરતી અને પોતાના હોમ સ્ટેટની ધરા પરથી આતંકવાદને સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે તેમણે નક્કી કર્યું છે કે ભારતમાંથી આતંકવાદ મિટાવીને જ રહીશ. કાં હું નહીં કાં આતંકવાદ નહી, બસ હવે બહુ થયું. પાટણ ખાતે આજે સવારે યોજાયેલી જનસભાને સંબોધતા મોદીએ કહ્યું કે મારી વડાપ્રધાનની ખુરશી રહે કે ના રહે પણ આતંકવાદને ભારતમાં નહીં રહેવા દઉ. બાલાકોટ એરસ્ટ્રાઇક વખતે પાકિસ્તાનના હાથમાં આવી ગયેલા વાયુ સેનાના પાયલટ અભિનંદનના નામનો ઉલ્લેખ કરીને મોદીએ દાવો કર્યો કે જો પાકિસ્તાને ભારતના પાયલટ અભિનંદન વર્ધમાનને પરત ન કરત તો તે રાત કતલની રાત બની ગઇ હોત. તેમણે તમામ 26 બેઠકો ફરી એકવાર ભાજપના ખોળામાં નાંખવાની અપીલ કરતાં કહ્યું કે જો એક પણ બેઠક ઓછી થશે તો 23મી મેના રોજ પરિણામના દિવસે મિડિયામાં આવશે કે મોદીને એક બેઠક કેમ ઓછી મળી..!
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 23મીએ મતદાનના 48 કલાક પહેલાં ગીર સાવજની ધરતી અને પોતાના હોમ સ્ટેટની ધરા પરથી આતંકવાદને સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે તેમણે નક્કી કર્યું છે કે ભારતમાંથી આતંકવાદ મિટાવીને જ રહીશ. કાં હું નહીં કાં આતંકવાદ નહી, બસ હવે બહુ થયું. પાટણ ખાતે આજે સવારે યોજાયેલી જનસભાને સંબોધતા મોદીએ કહ્યું કે મારી વડાપ્રધાનની ખુરશી રહે કે ના રહે પણ આતંકવાદને ભારતમાં નહીં રહેવા દઉ. બાલાકોટ એરસ્ટ્રાઇક વખતે પાકિસ્તાનના હાથમાં આવી ગયેલા વાયુ સેનાના પાયલટ અભિનંદનના નામનો ઉલ્લેખ કરીને મોદીએ દાવો કર્યો કે જો પાકિસ્તાને ભારતના પાયલટ અભિનંદન વર્ધમાનને પરત ન કરત તો તે રાત કતલની રાત બની ગઇ હોત. તેમણે તમામ 26 બેઠકો ફરી એકવાર ભાજપના ખોળામાં નાંખવાની અપીલ કરતાં કહ્યું કે જો એક પણ બેઠક ઓછી થશે તો 23મી મેના રોજ પરિણામના દિવસે મિડિયામાં આવશે કે મોદીને એક બેઠક કેમ ઓછી મળી..!