PM મોદી એકવાર ફરી ગુજરાત આવશે. આવતી કાલે યોજાનાર મતદાન માટે આજે PM મોદી ગુજરાત આવશે. PM મોદી સોમવારે અમદાવાદ આવી પહોંચશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે અને 23મીએ સવારે રાણીપ ખાતે મતદાન કરશે.
PM મોદી આજે બપોરે 3 કલાકે મહારાષ્ટ્રમાં સભા સંબોધી વડોદરા પહોંચશે. તેઓ વડોદરાથી ઉદેયપુરમાં સભા સંબોધવા જશે. જ્યારે રાત્રે 8 કલાકે PM મોદી ઉદેયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. રાત્રે 9 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
PM મોદી 23 એપ્રિલે સવારે 7 કલાકે ગાંધીનગરથી અમદાવાદ આવવા રવાના થશે અને સવારે 7.30 કલાકે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરશે. મતદાન બાદ PM મોદી એરપોર્ટ જવા રવાના થશે. જણાવી દઈએ કે, PM મોદી સવારે 8.30 કલાકે અમદાવાદથી ઓરિસ્સા જવા રવાના થશે.
PM મોદી એકવાર ફરી ગુજરાત આવશે. આવતી કાલે યોજાનાર મતદાન માટે આજે PM મોદી ગુજરાત આવશે. PM મોદી સોમવારે અમદાવાદ આવી પહોંચશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે અને 23મીએ સવારે રાણીપ ખાતે મતદાન કરશે.
PM મોદી આજે બપોરે 3 કલાકે મહારાષ્ટ્રમાં સભા સંબોધી વડોદરા પહોંચશે. તેઓ વડોદરાથી ઉદેયપુરમાં સભા સંબોધવા જશે. જ્યારે રાત્રે 8 કલાકે PM મોદી ઉદેયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. રાત્રે 9 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
PM મોદી 23 એપ્રિલે સવારે 7 કલાકે ગાંધીનગરથી અમદાવાદ આવવા રવાના થશે અને સવારે 7.30 કલાકે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરશે. મતદાન બાદ PM મોદી એરપોર્ટ જવા રવાના થશે. જણાવી દઈએ કે, PM મોદી સવારે 8.30 કલાકે અમદાવાદથી ઓરિસ્સા જવા રવાના થશે.