દિલ્હીમાં હિંસા ભડકાવવા માટે ભડકાઉ ભાષણો કરનારા સામે FIR કરવા દિલ્હી પોલીસે ઇનકાર કર્યો હતો. પોલીસે કહ્યું કે હાલના સમય અને સંજોગો જોતા ભડકાઉ ભાષણો કરનારા સામે કેસ કરવાનું યોગ્ય અને સલાહભર્યું નથી. આનાથી દિલ્હીમાં શાંતિ સ્થાપવામાં મદદ મળશે નહીં. દિલ્હી હાઇકોર્ટે બુધવારે ભડકાઉ ભાષણો કરનારા સામે કેસ કેમ નથી કરાયા તેવો પ્રશ્ન પૂછીને દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી હતી. પોલીસે ૪ દિવસમાં ૪૮ FIR કર્યાનું અને ૧૩૦ લોકોની ધરપકડ કર્યાનું કોર્ટમાં જણાવ્યું હતું. કોર્ટે આ કેસમાં કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવીને રિપોર્ટ માગ્યો હતો.
દિલ્હીમાં હિંસા ભડકાવવા માટે ભડકાઉ ભાષણો કરનારા સામે FIR કરવા દિલ્હી પોલીસે ઇનકાર કર્યો હતો. પોલીસે કહ્યું કે હાલના સમય અને સંજોગો જોતા ભડકાઉ ભાષણો કરનારા સામે કેસ કરવાનું યોગ્ય અને સલાહભર્યું નથી. આનાથી દિલ્હીમાં શાંતિ સ્થાપવામાં મદદ મળશે નહીં. દિલ્હી હાઇકોર્ટે બુધવારે ભડકાઉ ભાષણો કરનારા સામે કેસ કેમ નથી કરાયા તેવો પ્રશ્ન પૂછીને દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી હતી. પોલીસે ૪ દિવસમાં ૪૮ FIR કર્યાનું અને ૧૩૦ લોકોની ધરપકડ કર્યાનું કોર્ટમાં જણાવ્યું હતું. કોર્ટે આ કેસમાં કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવીને રિપોર્ટ માગ્યો હતો.