રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારને મળેલી ક્લિન ચીટ બાદ ભાજપ દ્વારા કોંગ્રેસ પર પલટવાર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ પુનઃવિચારણા અરજી ફગાવી દેવાને પાર્ટીએ સત્યની જીત ગણાવી છે. ભાજપના રવિશંકર પ્રસાદે કહ્યું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે રાફેલ મામલે સચ્ચાઇની જીત થઇ છે. સુપ્રીમ કોર્ટે કિંમત, ખરીદવાની પ્રક્રિયાની તપાસ તેમજ તેને સાચી ઠેરવી. રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની માફી માગવી જોઇએ.
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારને મળેલી ક્લિન ચીટ બાદ ભાજપ દ્વારા કોંગ્રેસ પર પલટવાર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ પુનઃવિચારણા અરજી ફગાવી દેવાને પાર્ટીએ સત્યની જીત ગણાવી છે. ભાજપના રવિશંકર પ્રસાદે કહ્યું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે રાફેલ મામલે સચ્ચાઇની જીત થઇ છે. સુપ્રીમ કોર્ટે કિંમત, ખરીદવાની પ્રક્રિયાની તપાસ તેમજ તેને સાચી ઠેરવી. રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની માફી માગવી જોઇએ.