માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને સ્વીકારી લીધી છે. આ સાથે જ કોર્ટને સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલ વિરુદ્ધ કોઈ અવગણના કેસ નહીં ચલાવવામાં આવે. પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેસેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવું જોઈએ. કોર્ટને રાજકીય વિવાદમાં ઘસેડવું ખોટું છે. રાહુલે માફી માંગી લીધી હતી, અમે માફીને મંજૂર કરી લીધી છે.
રાહુલ ગાંધીના ' ચોકીદાર હી ચૌર હૈ 'ના નિવેદન પર ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાહુલ ગાંધીએ નિવેદન જાણી જોઇને વારંવાર આપ્યું હતું. પોતાના નિવેદનને લઇને રાહુલ ગાંધીએ માફી માગી હતી. રાહુલ ગાંધીની માફીને મંજૂર કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભવિષ્યમાં આવા મામલા પર સાવચેત રહેવું.
માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને સ્વીકારી લીધી છે. આ સાથે જ કોર્ટને સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલ વિરુદ્ધ કોઈ અવગણના કેસ નહીં ચલાવવામાં આવે. પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેસેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવું જોઈએ. કોર્ટને રાજકીય વિવાદમાં ઘસેડવું ખોટું છે. રાહુલે માફી માંગી લીધી હતી, અમે માફીને મંજૂર કરી લીધી છે.
રાહુલ ગાંધીના ' ચોકીદાર હી ચૌર હૈ 'ના નિવેદન પર ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાહુલ ગાંધીએ નિવેદન જાણી જોઇને વારંવાર આપ્યું હતું. પોતાના નિવેદનને લઇને રાહુલ ગાંધીએ માફી માગી હતી. રાહુલ ગાંધીની માફીને મંજૂર કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભવિષ્યમાં આવા મામલા પર સાવચેત રહેવું.