-
11 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના ભાગરૂપે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 20 રાજ્યોમાં 91 બેઠકો માટે જે મતદાન થવાનું છે તેમાં યુપીની 80માંથી 8 બેઠકોનો પણ સમાવેશ થાય છે. આ 8 બેઠકો પર નવા ગઠબંધન આરએલડી-સપા-બસપા (RSB)નું પ્રભુત્વ વધારે હોય તેમ રાજકીય સૂત્રો માની રહ્યાં છે. 8 બેઠકોમાં સહરાનપુર, કૈરાના, મુજફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ અને ગૌતમબુધ્ધનગરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ભાજપના જે મહત્વના ઉમેદવારો છે તેમાં મંત્રી વી.કે.સિંગ, મહેશ સર્મા, સત્યાપાલસિંહ અને પૂર્વ મંત્રી સંજીવ બાલિયાનનો સમાવેશ થાય છે. આરએલડીના નેતા અજીતસિંહ અને તેમના પુત્ર જયંત ચૌધરી જાટ મતદારોનો સંપર્ક કરીને ગઠબંધનના ઉમેદવારોને મત આપવા વિનંતી કરી રહ્યાં છે.
-
11 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના ભાગરૂપે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 20 રાજ્યોમાં 91 બેઠકો માટે જે મતદાન થવાનું છે તેમાં યુપીની 80માંથી 8 બેઠકોનો પણ સમાવેશ થાય છે. આ 8 બેઠકો પર નવા ગઠબંધન આરએલડી-સપા-બસપા (RSB)નું પ્રભુત્વ વધારે હોય તેમ રાજકીય સૂત્રો માની રહ્યાં છે. 8 બેઠકોમાં સહરાનપુર, કૈરાના, મુજફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ અને ગૌતમબુધ્ધનગરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ભાજપના જે મહત્વના ઉમેદવારો છે તેમાં મંત્રી વી.કે.સિંગ, મહેશ સર્મા, સત્યાપાલસિંહ અને પૂર્વ મંત્રી સંજીવ બાલિયાનનો સમાવેશ થાય છે. આરએલડીના નેતા અજીતસિંહ અને તેમના પુત્ર જયંત ચૌધરી જાટ મતદારોનો સંપર્ક કરીને ગઠબંધનના ઉમેદવારોને મત આપવા વિનંતી કરી રહ્યાં છે.