રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ સલાહ આપી છે કે ભાજપને દિલ્હીમાં સંગઠનની પુનઃરચના કરવી જોઈએ, કારણે રાજ્યોની ચૂંટણી કાયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જીતાડી શકે નહીં. RSSએ પોતાના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઈઝરના સંપાદકીયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં ભાજપની રણનીતિને દોષપૂર્ણ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે ભાજપે દિલ્હીની ચૂંટણીમાં મોટાપાયે ધ્રુવીકરણનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ચૂંટણીમાં હિન્દુ-મુસલમાન મુદ્દાને ધ્યાને રાખીને પ્રચાર કરાયો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ સલાહ આપી છે કે ભાજપને દિલ્હીમાં સંગઠનની પુનઃરચના કરવી જોઈએ, કારણે રાજ્યોની ચૂંટણી કાયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જીતાડી શકે નહીં. RSSએ પોતાના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઈઝરના સંપાદકીયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં ભાજપની રણનીતિને દોષપૂર્ણ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે ભાજપે દિલ્હીની ચૂંટણીમાં મોટાપાયે ધ્રુવીકરણનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ચૂંટણીમાં હિન્દુ-મુસલમાન મુદ્દાને ધ્યાને રાખીને પ્રચાર કરાયો હતો.