-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર જે સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરે છે તે સૈન્ય ઓપરેશન પાર પાડનાર લેફ. જનરલ(નિવૃત) ડી.એ. હુડ્ડાએ પણ ભાજપના ભોપાલ બેઠકના ઉમેદવાર અને વિવાદી સાધ્વી પ્રજ્ઞાએ પોલીસ અધિકારી સ્વ. હેમંત કરકરે અંગે કરેલા નિવેદનને વખોડી કાઢીને કહ્યું કે જો કોઇ શહિદના વિષે આવી વાતો કરવામાં આવે તો તેનાથી ભારે દુ:ખ થાય છે. શહિદ પછી તે પોલીસનો હોય કે આર્મીનો તેનું માન સન્માન જળવાવુ જોઇએ. આવા નિવેદનો યોગ્ય નથી. નોંધનીય છે કે સાધ્વીએ એવું નિવેદન કર્યું હતું કે તેને પકડનાર પોલીસ અધિકારી કરકરે મેં આપેલા શ્રાપને કારણે નાશ પામ્યા છે. કેમ કે તેમણે પોલીસ કસ્ટડીમાં તેમના પર અત્યાચારો ગુજાર્યા હતા. જો કે ભારે વિવાદ થતાં સાધ્વીએ પોતાનું નિવેદન પાછુ ખેંચ્યું હતું.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર જે સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરે છે તે સૈન્ય ઓપરેશન પાર પાડનાર લેફ. જનરલ(નિવૃત) ડી.એ. હુડ્ડાએ પણ ભાજપના ભોપાલ બેઠકના ઉમેદવાર અને વિવાદી સાધ્વી પ્રજ્ઞાએ પોલીસ અધિકારી સ્વ. હેમંત કરકરે અંગે કરેલા નિવેદનને વખોડી કાઢીને કહ્યું કે જો કોઇ શહિદના વિષે આવી વાતો કરવામાં આવે તો તેનાથી ભારે દુ:ખ થાય છે. શહિદ પછી તે પોલીસનો હોય કે આર્મીનો તેનું માન સન્માન જળવાવુ જોઇએ. આવા નિવેદનો યોગ્ય નથી. નોંધનીય છે કે સાધ્વીએ એવું નિવેદન કર્યું હતું કે તેને પકડનાર પોલીસ અધિકારી કરકરે મેં આપેલા શ્રાપને કારણે નાશ પામ્યા છે. કેમ કે તેમણે પોલીસ કસ્ટડીમાં તેમના પર અત્યાચારો ગુજાર્યા હતા. જો કે ભારે વિવાદ થતાં સાધ્વીએ પોતાનું નિવેદન પાછુ ખેંચ્યું હતું.