-
ભારતની પડખે દક્ષિણમાં આવેલા ટચુકડા દેશ શ્રીલંકામાં આજે ઇસ્ટરનો દિવસ ખ્રિસ્તી સમાજ માટે કાળમુખો સાબિત થયો હતો. ધાર્મિક શ્રધ્ધાળુઓ દેશની રાજધાની કોલંબોમાં વિવિધ ચર્ચોમાં ઇશુના પુનજીવન દિવસની ઉજવણી કરી રહ્યાં હતા ત્યારે લગભગ પોણા નવ વાગે અલગ અલગ 3 ચર્ચોમાં અને 3 હોટેલમાં મળીને એક સાથે 6 સીરીયલ બોંબ બ્લાસ્ટ થયા હતા. જેમાં ઓછામાં ઓછા 180 લોકો માર્યા ગયા હતા. અને 300 કરતાં વધારે લોકો ઘાયલ થયા હતા. એક પછી એક બોંબ ધડાકાના પગલે સમગ્ર શ્રીલંકામાં ભારે ભય ફેલાયો હતો. શ્રીલંકામાં રહેતા ભારતીય મૂળના કોઇ આ બોંબ ધડાકામાં માર્યા ગયા છે કે કેમ તે હજુ બહાર આવ્યું નથી. ભારતના પુરાણોમાં આ દેશ રાવણની લંકાનગરી તરીકે મનાય છે.અગાઉ તેનું નામ સિલોન હતું. જે ત્યારબાદ બદલીને શ્રીલંકા રાખવામાં આવ્યું હતું. છેલ્લે મળતા અહેવાલ અનુસાર વધુ બે ધડાકા થયા છે. એમ કુલ 8 બોંબ ધડાકા થયા છે. મરનારાઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. છેલ્લે મળતાં અબેવાલ પ્રમાણે બોંબ બલાસ્ટમાં મરનારાઓની સંખ્યા 207 પર પહોંચી ગઇ છે.
-
ભારતની પડખે દક્ષિણમાં આવેલા ટચુકડા દેશ શ્રીલંકામાં આજે ઇસ્ટરનો દિવસ ખ્રિસ્તી સમાજ માટે કાળમુખો સાબિત થયો હતો. ધાર્મિક શ્રધ્ધાળુઓ દેશની રાજધાની કોલંબોમાં વિવિધ ચર્ચોમાં ઇશુના પુનજીવન દિવસની ઉજવણી કરી રહ્યાં હતા ત્યારે લગભગ પોણા નવ વાગે અલગ અલગ 3 ચર્ચોમાં અને 3 હોટેલમાં મળીને એક સાથે 6 સીરીયલ બોંબ બ્લાસ્ટ થયા હતા. જેમાં ઓછામાં ઓછા 180 લોકો માર્યા ગયા હતા. અને 300 કરતાં વધારે લોકો ઘાયલ થયા હતા. એક પછી એક બોંબ ધડાકાના પગલે સમગ્ર શ્રીલંકામાં ભારે ભય ફેલાયો હતો. શ્રીલંકામાં રહેતા ભારતીય મૂળના કોઇ આ બોંબ ધડાકામાં માર્યા ગયા છે કે કેમ તે હજુ બહાર આવ્યું નથી. ભારતના પુરાણોમાં આ દેશ રાવણની લંકાનગરી તરીકે મનાય છે.અગાઉ તેનું નામ સિલોન હતું. જે ત્યારબાદ બદલીને શ્રીલંકા રાખવામાં આવ્યું હતું. છેલ્લે મળતા અહેવાલ અનુસાર વધુ બે ધડાકા થયા છે. એમ કુલ 8 બોંબ ધડાકા થયા છે. મરનારાઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. છેલ્લે મળતાં અબેવાલ પ્રમાણે બોંબ બલાસ્ટમાં મરનારાઓની સંખ્યા 207 પર પહોંચી ગઇ છે.