શુક્રવારે વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભારતની ૧૩૦ કરોડની જનતા વિપક્ષને ક્યારેય માફ નહીં કરે. વિપક્ષ વારંવાર સશસ્ત્રદળોનું અપમાન કરી રહ્યો છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખના સૌથી વધુ વિશ્વાસપાત્ર સલાહકાર અને માર્ગદર્શક સામ પિત્રોડાએ ભારતની સશસ્ત્ર સેનાઓનું અપમાન કરીને કોંગ્રેસ વતી પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી શરૂ કરી દીધી છે. શરમ આવવી જોઈએ.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષ વારંવાર આપણા સશસ્ત્રદળોનું અપમાન કરી રહ્યો છે. ૧૩૦ કરોડ ભારતીયો વિપક્ષને તેમની આ પ્રકારની નિવેદનબાજી માટે માફ નહીં કરે. ભારત દેશ તેના સશસ્ત્રદળોની પડખે ઊભો છે. દેશ જે વાત સારી રીતે જાણે છે તે કોંગ્રેસના રાજઘરાનાના વફાદાર દરબારીએ સ્વીકારી છે.
શુક્રવારે વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભારતની ૧૩૦ કરોડની જનતા વિપક્ષને ક્યારેય માફ નહીં કરે. વિપક્ષ વારંવાર સશસ્ત્રદળોનું અપમાન કરી રહ્યો છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખના સૌથી વધુ વિશ્વાસપાત્ર સલાહકાર અને માર્ગદર્શક સામ પિત્રોડાએ ભારતની સશસ્ત્ર સેનાઓનું અપમાન કરીને કોંગ્રેસ વતી પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી શરૂ કરી દીધી છે. શરમ આવવી જોઈએ.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષ વારંવાર આપણા સશસ્ત્રદળોનું અપમાન કરી રહ્યો છે. ૧૩૦ કરોડ ભારતીયો વિપક્ષને તેમની આ પ્રકારની નિવેદનબાજી માટે માફ નહીં કરે. ભારત દેશ તેના સશસ્ત્રદળોની પડખે ઊભો છે. દેશ જે વાત સારી રીતે જાણે છે તે કોંગ્રેસના રાજઘરાનાના વફાદાર દરબારીએ સ્વીકારી છે.