-
મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજનું નિધન ચૂંકી બિમારીને કારણે કે પછી તેમને ષડયંત્ર રચીને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યાં હતા કે કેમ તેવો એક વિવાદ આજે 3 એપ્રિલના રોજ તેમના નિર્વાણદિને ઉભો થયો છે. 3 એપ્રિલ 1680માં રાયગઢના કિલ્લામાં તેમનું નિધન થયું હતું. તેમના નિધનને લઇને મતમંતારો પ્રવર્તે છે. શિવાજી મહારાજ પર 10 પુસ્તકો લખનાર મહારાષ્ટ્રના ઇતિહાસકાર ઇન્દ્રજીત સાવંતે રાયગઢના કિલ્લામાંથી મળી આવેલા હાડકાઓની તપાસની માંગ કરી છે. તેમનું માનવુ છે કે આ હાડકા-નરકંકાલ કોના છે તેની ડીએનએ તપાસ થાય તો માલુમ પડે કે ખરેખર તે કોના છે અને જો શિવાજી મહારાજના હોય તો એ પણ જાણી શકાશે કે તેમનું નિધન ખરેખર કઇ રીતે થયું હતું.
-
મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજનું નિધન ચૂંકી બિમારીને કારણે કે પછી તેમને ષડયંત્ર રચીને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યાં હતા કે કેમ તેવો એક વિવાદ આજે 3 એપ્રિલના રોજ તેમના નિર્વાણદિને ઉભો થયો છે. 3 એપ્રિલ 1680માં રાયગઢના કિલ્લામાં તેમનું નિધન થયું હતું. તેમના નિધનને લઇને મતમંતારો પ્રવર્તે છે. શિવાજી મહારાજ પર 10 પુસ્તકો લખનાર મહારાષ્ટ્રના ઇતિહાસકાર ઇન્દ્રજીત સાવંતે રાયગઢના કિલ્લામાંથી મળી આવેલા હાડકાઓની તપાસની માંગ કરી છે. તેમનું માનવુ છે કે આ હાડકા-નરકંકાલ કોના છે તેની ડીએનએ તપાસ થાય તો માલુમ પડે કે ખરેખર તે કોના છે અને જો શિવાજી મહારાજના હોય તો એ પણ જાણી શકાશે કે તેમનું નિધન ખરેખર કઇ રીતે થયું હતું.