કર્ણાટકના સંકટને લઈને 15 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, સ્પીકર બાગી ધારાસભ્યો અંગે નિર્ણય લે. જોકે, કોર્ટે તેના માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી કરી. સાથે જ કોર્ટે ગુરુવારે વિશ્વાસમત મેળવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે, ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકરનો નિર્ણય આવ્યા બાદ જ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. આ રીતે હાલ કોંગ્રેસ અને જેડીએસની સરકારને થોડી રાહત મળી છે.
નિર્ણય આપતા કોર્ટે કહ્યું કે, આપણે આ કિસ્સામાં સંવિધાનિક બેલેન્સ જાળવી રાખવાનું છે. કોર્ટે કહ્યું કે, સ્પીકર 15 બાગી ધારાસભ્યો પર પોતાના અનુસાર વિચાર કરે. સ્પીકર ખુદનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. તેમને સમયમર્યાદાની અંદર નિર્ણય લેવા માટે બાંધી ન શકાય. કર્ણાટક સરકારને ઝટકો આપતા સીજેઆઈએ કહ્યું કે, 15 બાગી ધારાસભ્યોને પણ ગૃહની કાર્યવાહીનો ભાગ બનવા માટે બાંધી ન શકાય.
કર્ણાટકના સંકટને લઈને 15 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, સ્પીકર બાગી ધારાસભ્યો અંગે નિર્ણય લે. જોકે, કોર્ટે તેના માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી કરી. સાથે જ કોર્ટે ગુરુવારે વિશ્વાસમત મેળવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે, ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકરનો નિર્ણય આવ્યા બાદ જ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. આ રીતે હાલ કોંગ્રેસ અને જેડીએસની સરકારને થોડી રાહત મળી છે.
નિર્ણય આપતા કોર્ટે કહ્યું કે, આપણે આ કિસ્સામાં સંવિધાનિક બેલેન્સ જાળવી રાખવાનું છે. કોર્ટે કહ્યું કે, સ્પીકર 15 બાગી ધારાસભ્યો પર પોતાના અનુસાર વિચાર કરે. સ્પીકર ખુદનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. તેમને સમયમર્યાદાની અંદર નિર્ણય લેવા માટે બાંધી ન શકાય. કર્ણાટક સરકારને ઝટકો આપતા સીજેઆઈએ કહ્યું કે, 15 બાગી ધારાસભ્યોને પણ ગૃહની કાર્યવાહીનો ભાગ બનવા માટે બાંધી ન શકાય.