Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટ હાલ મીડિયા પર ભારે નારાજ છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાને બેજવાબદાર ગણાવ્યાના થોડાક જ સમયમાં સુપ્રીમ કોર્ટના વધુ એક ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે મીડિયા પર આકરી ટીપ્પણી કરતાં કહ્યું કે, ન્યાયાધીશોને ટાર્ગેટ કરવાની પણ એક હદ હોય છે.
સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે મીડિયાના રિપોર્ટિંગ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. ન્યાયાધીશો દ્વારા કેસોની સુનાવણી નહીં કરાવા સંબંધે એક મીડિયા રિપોર્ટથી તેઓ નારાજ થઈ ગયા હતા. હકીકતમાં વકીલ તરફથી મેન્શન એક કેસમાં માગ કરાઈ રહી હતી કે ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસા અને હુમલાઓ સામે દાખલ કેસને લિસ્ટિંગ કરવામાં આવે. આ અંગે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે મેં તો આ સંબંધમાં એક સમાચાર વાંચ્યા કે આ કેસને સુનાવણી માટે લેવાયો નથી.
 

સુપ્રીમ કોર્ટ હાલ મીડિયા પર ભારે નારાજ છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાને બેજવાબદાર ગણાવ્યાના થોડાક જ સમયમાં સુપ્રીમ કોર્ટના વધુ એક ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે મીડિયા પર આકરી ટીપ્પણી કરતાં કહ્યું કે, ન્યાયાધીશોને ટાર્ગેટ કરવાની પણ એક હદ હોય છે.
સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે મીડિયાના રિપોર્ટિંગ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. ન્યાયાધીશો દ્વારા કેસોની સુનાવણી નહીં કરાવા સંબંધે એક મીડિયા રિપોર્ટથી તેઓ નારાજ થઈ ગયા હતા. હકીકતમાં વકીલ તરફથી મેન્શન એક કેસમાં માગ કરાઈ રહી હતી કે ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસા અને હુમલાઓ સામે દાખલ કેસને લિસ્ટિંગ કરવામાં આવે. આ અંગે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે મેં તો આ સંબંધમાં એક સમાચાર વાંચ્યા કે આ કેસને સુનાવણી માટે લેવાયો નથી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ