આખા વિશ્વનાં દબાણ છતાં અમારી સરકાર CAA તેમજ કલમ ૩૭૦ જેવા નિર્ણયોના અમલમાં વળગી રહેશે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. દેશને આ પ્રકારના નિર્ણયો લેવાની ઘણા સમય પહેલાં જરૂર હતી. રવિવારે તેઓ પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાતે ગયા હતા. તેમણે ૧,૨૫૪ કરોડની ૫૦ જેટલી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે રચવામાં આવેલું ટ્રસ્ટ ખૂબ જ ઝડપથી તમામ નિર્ણયો લેશે અને કાર્યો કરશે. વારાણસીના કાર્યક્રમોમાં હાજરી આપ્યા પછી તેઓ ચંદોલી ગયા હતા અને દીનદયાળ ઉપાધ્યાયની ૬૩ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
આખા વિશ્વનાં દબાણ છતાં અમારી સરકાર CAA તેમજ કલમ ૩૭૦ જેવા નિર્ણયોના અમલમાં વળગી રહેશે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. દેશને આ પ્રકારના નિર્ણયો લેવાની ઘણા સમય પહેલાં જરૂર હતી. રવિવારે તેઓ પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાતે ગયા હતા. તેમણે ૧,૨૫૪ કરોડની ૫૦ જેટલી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે રચવામાં આવેલું ટ્રસ્ટ ખૂબ જ ઝડપથી તમામ નિર્ણયો લેશે અને કાર્યો કરશે. વારાણસીના કાર્યક્રમોમાં હાજરી આપ્યા પછી તેઓ ચંદોલી ગયા હતા અને દીનદયાળ ઉપાધ્યાયની ૬૩ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.